સોમવાર, 7 એપ્રિલ 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Updated : બુધવાર, 2 એપ્રિલ 2025 (18:20 IST)

શુ હોય છે Waqf, કેમ આ બિલ લાવી રહી છે મોદી સરકાર, કેમ મુસ્લિમ કરી રહ્યા છે વિરોધ, જાણો Waqf Bill ની પૂરી સ્ટોરી

Waqf Bill
Waqf Bill
જાણો છો શુ છે વક્ફ બિલ, શુ હોય છે તેનો મતલબ, ક્યાથી આવ્યો શબ્દ અને મુસ્લિમ કેમ આ બિલનો વિરોધ કરી રહ્યા છે.  બીજી બાજુ સમજે છે કે છેવટે કેમ સરકાર આ બિલ લાવી રહી છે અને તેનાથી કોને ફાયદો કે નુકશાન થશે.  
 
રાજ્ય સરકારોની શક્તિઓ વધી જશે - ઉલ્લેખનીય છે કે આ બિલ સંસદમાંથી પાસ થઈ ગયુ તો આ કાયદો બની જશે.  નવા બિલના કાયદા બની ગયા પછી વક્ફની સંપત્તિનો વિવાદ ઉકેલાયા પછી વક્ફની સંપત્તિનો વિવાદ ઉકેલવામાં હવે રાજ્ય સરકારોને પહેલાથી વધુ શક્તિઓ મળશે. જોકે પ્રસ્તાવિત કાયદાની અસર જૂની મસ્જિદો, દરગાહ કે મુસલમાનોના ધાર્મિક સંસ્થાનો પર નહી પડે.  પરંતુ બિલમાં કરવામાં આવેલા પરિવર્તનોમાં વક્ફ બોર્ડમાં બિન મુસ્લિમ સભ્યોની સંખ્યામા  વધારો થઈ શકે છે. વક્ફ બોર્ડના પદના સભ્યો ઉપરાંત હવે બોર્ડમાં બે ગૈર મુસ્લિમ નિમણૂક પણ અનિવાર્ય થશે.  
 
શુ છે નવુ વક્ફ બિલ - વર્તમાન નરેન્દ્ર મોદી સરકારે પોતાના સહયોગી દળોની માંગને સ્વીકારતા નવા બિલમાં અનેક પરિવર્તન કર્યા છે. જેવી કે 5 વર્ષ સુધી ઈસ્લામ ધર્મનુ પાલન કરનારા જ વક્ફને પોતાની સંપત્તિ દાન કરી શકશે.  દાન કરવામાં આવનારી સંપત્તિ સાથે જોડાયેલ કોઈ વિવાદ થતા થતા તેની તપાસ પછી જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.  આ સાથે જ જૂના કાયદાની ધારા 11માં સંશોધન ને પણ સ્વીકાર કરવામાં આવ્યુ છે. જેમા કહેવામાં આવ્યુ છે કે વક્ફ બોર્ડના પદસ્થ સભ્ય ચાહે તો તે મુસ્લિમ હોય કે ગૈર મુસ્લિમ તેને ગૈર મુસ્લિમ સભ્યોની ગણતરી મા સામેલ નહી કરવામાં આવે. આનો અર્થ એ કે વક્ફ બોર્ડમાં બિન મુસ્લિમ સભ્યોની સંખ્યા વધી શકે છે.  
 
વક્ફનો મતલબ શુ છે - ઉલ્લેખનીય છે કે વક્ફ અરબી ભાષાના વકુફા શબ્દથી બન્યો છે. જેનો અર્થ થાય છે રોકાવવુ.  કાયદાકીય શબ્દોમા સમજવાની કોશિશ કરો તો વક્ફ તેને કહે છે  ઈસ્લામમાં કોઈ વ્યક્તિ જ્યારે ધાર્મિક કારણોથી કે ઈશ્વરના નામ પર પોતાની પ્રોપર્ટી દાન કરે છે તો તે પ્રોપર્ટીને ને વક્ફ કરી દેવુ કે રોકી દેવુ કહે છે.  પછી  વકિફા કહેવાય છે.  
 
શુ આ સંપત્તિ વેચી શકાય છે - ઉલ્લેખનીય છે કે વકિફા દ્વારા દાન કરવામાં આવેલ આ સમ્પતિને વેચી શકાતી નથી. તેનો ઉપયોગ ધર્મ ઉપરાંત કોઈ અન્ય હેતુ માટે નથી કરી શકાતો.  એવુ કહેવાય છેકે મુસ્લિમ ધર્મગુરૂ પૈગબર મોહમ્મદના સમયમાં 600 ખજૂરના ઝાડનુ એક બાગ સૌથી પહેલા વક્ફ કરવામાં આવ્યુ હતુ અને તેનાથી થનારી કમાણીથી મદીનાના ગરીબોને મદદ કરવામાં આવતી હતી.   
 
કયારે બન્યો હતો વક્ફ એક્ટ - ભારતમાં વક્ફનો ઈતિહાસ ખૂબ જુનો છે. તેના ઈતિહાસ 12મી સદીમાં દિલ્હી સલ્તનતના સમય સાથે જોડાયેલો છે અને ભારતમાં આઝાદી પછી 1954માં પહેલીવાર વક્ફ એક્ટ બન્યો હતો અને પછી વર્ષ 1995મા આ એક્ટમાં આ એક્ટમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા. પછી નવો વક્ફ એક્ટ બન્યો જેમા વર્ષ 2013માં પણ અનેક ફેરફાર કરવામાં આવ્યા.