શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: દેહરાદૂન . , સોમવાર, 17 જુલાઈ 2023 (13:33 IST)

ભારે વરસાદથી હવે ગંગા નદી બની ગાંડીતૂર

ganga
ganga
પહાડી વિસ્તારમાં (Hill Area) માં સતત થઈ રહેલ વરસાદને કારણે અલકનંદા નદી (Alaknanda River) ઓવરફ્લો થઈ ગઈ છે. નદીનુ જળસ્તર એટલુ વધી ગયુ છે શ્રીનગર બાંધના તળાવમાંથી રવિવારે લગભગ 3000 ક્યૂમેક્સ પાણી છોડવામાં આવ્યુ. જેની અસર દેવપ્રયાગથી લઈને હરિદ્વાર સુધી જોવા મળી. દેવ પ્રયાગ(Dev Prayag) માં જ્યા અલકનંદા ખતરાના નિશાનને પાર વહેવા માંડી, તો બીજી બાજુ હરિદ્વારમાં ગંગા   (Ganga) એ ચેતાવણીનુ નિશાન પાર કરી દીધુ. પૂર પ્રભાવિત વિસ્તારોમાં લોકોને સતર્ક કરવામાં આવ્યા. 
 
ગઢવાલમાં અલકનંદાનુ જળસ્તર ચેતાવણીના નિશાનથી ઉપર રહ્યુ. શ્રીનગર બાંધ પરિયોજનાથી પાણી છોડવાથી દેવપ્રયાગમાં અલકનંદાનુ જળસ્તર ખતરના નિશાન  463.20થી ઉપર પહોચી ગયુ.  ભાગીરથી અને અલકનંદાના સંગમ પછી ગંગા પણ બપોર સુધી ખતરના નિશાનના લગભગ નિકટ પહોચી ગઈ. 
 
દેવપ્રયાગમાં અનેક ઘાટ ડૂબી ગયા હતા. તહસીલદાર માનવેન્દ્ર સિંહ બારતવાલે કહ્યું કે જોખમને જોતા પોલીસ અને નગરપાલિકા દ્વારા લોકોને નદી કિનારે જતા અટકાવવામાં આવ્યા હતા. અલકનંદામાં ઉછાળાને કારણે ઋષિકેશમાં ગંગા 339.50 ના ચેતવણી ચિહ્નને સ્પર્શી ગઈ અને વહેવા લાગી. હરિદ્વારમાં ગંગાનું જળસ્તર ચેતવણીના નિશાનને પાર કરી ગયું છે. હરિદ્વારમાં સાંજે 7 વાગ્યે ગંગાનું જળસ્તર 293.15 મીટર હતું.