શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 17 સપ્ટેમ્બર 2019 (14:18 IST)

PM Modiના 69મા બર્થડે પર તેમના ફેનએ સંકટ મોચન મંદિરમાં ચઢાવ્યુ 1.25 કિલો સોનાનો મુકુટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે  17 સપ્ટેમ્બર 2019ને તેમનો 69મો જનમદિવસ ઉજવી રહ્યા છે. પીએમ મોદીના એક પ્રશંસકએ તેમના જનમદિવસ પર ભગવાનને એક એવું ભેંટ અર્પિત કર્યું છે જેને જાણી તમે પણ હેરાન થઈ જશો. પીએમ નરેન્દ્ર મોદીનો એક જબરું ફેન તેમના 69મા જનમદિવસને ચિન્હિત કરવા માટે વારાણસીના સંકટ મોચન મંદિરમાં ભગવાન હનુમાનને 1.25 કિલો સોનાનો મુકુટ ભેંટ કર્યું છે. 
અરવિંદ સિંહ નામના એક પ્રશંસકએ પ્રધાનમંત્રી મોદીના જનમદિવસથી એક દિવસ પહેલા સોમવારે સંકટ મોચન મંદિરમાં આ ચઢાવો ચઢાવ્યું. અરવિંદ સિંહએ કહ્યું તેને તેણે સંકલ્પ લીધુ હતું કે જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી સંસદીય ક્ષેત્રથી ફરીથી જીતશે અને સતત બીજા કાર્યકાળ માટે સત્તામાં પરત આવશે તો તે ભગવાન હનુમાનને સોનાનો મુકુટ ભેંટ્ કરશે. 
 
પુજારીએ કહ્યું કે નરેન્દ્ર મોદી તે છે કે રાષ્ટ્રનો નિર્માણ કરી રહ્યા છે. જે પાછલા 75 વર્ષમાં આ રીતે નથી થઈ રહ્યું હતું. તેથી આ નક્કી કરાયુ કે આ તાજ તેમના જનમદિવસથી એક દિવસ પહેલા હનુમાનને અર્પિત કરાશે. આ વિશ્વાસની સાથે પ્રધાનમંત્રી મોદી અને ભારતનો ભવિષ્ય સોનાની રીતે ચમકશે. પુજારીએ આગળ કીધું કે આ કાશીના લોકોની તરફથી તેમના માટે એક ભેંટ છે.