ઘરેલૂ ખાનગી વિમાન કંપનીઓ જેટ એરવેજ અને કિંગફિશર એરલાઇંસે ઘરેલૂ ફ્લાઈટ્સ પર આજથી ઈંધણ-અધિભારમાં 200 રૂપિયા સુધીની વૃદ્ધિ કરી છે. બન્ને કંપનીઓએ કહ્યું છે કે, આ વૃદ્ધિ તત્કાલ પ્રભાવથી અમલમાં આવી ગઈ છે. કિંગફિશરની યાદીમાં કહેવામાં આવ્યું છે કે, ઘરેલૂ ફ્લાઈટ્સ પર લગાડવામાં આવનારો ઈંધણ અધિભારમાં વૃદ્ધિ કરવામાં આવી છે જે આજથી પ્રભાવી...
સરકારે આજે ડુગળીની નિકાસને પ્રતિબંધિત કરવાની સંભાવનાથી ઈંકાર કરતા કહ્યું છે કે, તેની કીમતોમાં આવેલી તેજી તાત્કાલિક સમસ્યા છે અને નવો પાક આવ્યા બાદ કીમતો લગભગ અઢી માસમાં ઓછી થઈ શકે છે. કૃષિ મંત્રી શરદ પવારે આર્થિક સંપાદકોના સમ્મેલનમાં કહ્યું આ (મૂલ્ય વૃદ્ધિ) તાત્કાલિક છે. અમે પૂરી રીતે સુનિશ્ચિત છીએ કે, લગભગ અઢી માસમાં પર્યાપ્ત માત્રામાં ડુંગળી મળી રહેશે અને કીમતો ઓછી હશે. એટલા માટે બે માસ માટે આવું પગલુ હાથ ધરવું મારા હિસાબે યોગ્ય નથી.