કપડવંજ રોડ પરના પ્રગતિનગરના પુનેશ્વર એપાર્ટમેન્ટ નામનો ત્રણ માળનો એક બ્લોક શુક્રવારે રાત્રે અચાનક ધરાશાયી થયો હતો. દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 2 લોકોને બચાવી લેવાયા છે. દટાયેલાઓને બહાર કાઢવાની કામગીરીમાં નડિયાદ ફાયરબ્રિગેડ સહિતની બચાવ ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અમદાવાદથી પણ ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી છે.