ત્રણેય લોકનું સર્જન કરનારા ભગવાન શ્રીવિશ્વકર્માના ચાલીસાનું દર અમાસના દિવસે પઠન કરવાથી સુખ, શાંતિ અને પુણ્ય પ્રાપ્ત થાય છે.કાંબી કમંડલ ગળે પુષ્પમાળા પીળુ પીતાંબર મુગટ રસાળા |કર સુત્ર પુસ્તક ધરે એ રૂપાળા એવા નમું ત્રિનેત્ર શ્રી ઇલોડવાળા ॥ જય વિશ્વકર્મા આદી દેવ, મહામાયાથી પ્રગટ્યા એવ ॥વિરચી વિષ્ણુ ને શિવરાય, એ પણ પ્રગટ્યા મહામાયાવ ॥ત્રિદેવના બનાવ્યા ધામ, દેવોને આપ્યા વિશ્રામ ॥સૂર્ય શશી તારાને ખાસ, ગગન મંડળએ આપ્યો વાસ ॥પળમાં પૃથ્વી કરી સ્થિર, જીવ માત્ર ઉપર રહેમ ધરી ॥સાત સમુદ્ર ભૂત પિશાચ, સ્થાન મળ્યા ન આવી આંચ ॥બોતેર કોટી દાનવ સહી, સ્થાન વિહોણા ગયા એ રહી ॥તેને કહ્યું દાદાએ ખાસ, વનસ્પતિમાં કરજો વાસ ॥સૂણી કોપ્યા દૈત્ય અપાર, દેવો ઉપર રાખ્યો ખાર ॥અમર દેવને કાયમ નડે, સ્વર્ગ ઉપર એ હલ્લા કરે ॥યુધ્ધ કરી સંતાપ્યા દેવ, દૈત્ય પક્ષે આવ્યા મહાદેવ ॥દેવો આવ્યા કરમા પાસ, અઘકને મોકલ્યો ખાસ ॥ |