અમદાવાદ. ભજ્જી-શ્રીસંત લાફા પ્રકરણમાં બીસીસીઆઇ દ્વારા નિયુકત તપાસ કમિશનર સુધીર નાણાવટીએ પોતાની તપાસ પુરી કરી લીધી છે અને તેઓ રિપોર્ટને 12મી મેના રોજ સોમવારે બોર્ડ સમક્ષ રજૂ કરનાર છે. બીસીસીઆઈ હરભજન ઉપર એક વર્ષનો પ્રતિબંધ મુકે તેવી સંભાવના છે. નાણાવટીએ શુક્રવારે હરભજનસિંઘ અને શ્રીસંતને પૂછપરછ માટે બોલાવ્યા તે વખતે બોર્ડના વકીલ તરીકે અકિલા કૌશિક અને બોર્ડના સેક્રેટરી નિરંજન શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. 15 દિવસ પહેલા થયેલી લાફા મારવાની ઘટના બાદ આઇપીએલે ભજ્જીને 11 મેચનો પ્રતિબંધ લગાવ્યા બાદ અમદાવાદમાં નાણાવટી તપાસમાં એ વાત પણ સ્પષ્ટ થઈ ગઈ છે કે આઈપીએલની ફી ગુમાવવાથી તેનો અર્થ એ નથી કે બીસીસીઆઈ હરભજનને સજા નહી કરે. |