મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

શરદપૂનમની રાત્રે તમારી ઘરે આવશે મહાલક્ષ્મી, અને આ ઉપાયથી બનાવશે માલામાલ

5 ઓક્ટોબરે શરદપૂર્ણિમા છે. ધર્મશાસ્ત્રમાં તેને કોજાગરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.  પુરાણો મુજબ શરદ પૂર્ણિમાની રાત ભગવતી મહાલક્ષ્મી રાત્રે એ જોવા માટે ફરે છે કે કોણ જાગી રહ્યુ છે અને જે જાગી રહ્યુ છે મહાલક્ષ્મી તેનુ કલ્યાણ કરે છે અને જે સૂઈ રહ્યુ હોય છે તે મહાલક્ષ્મી નથી રોકાતી.  લક્ષ્મીજીને જાગ્રતિ (કોણ જાગી રહ્યુ છે)કહેવાના કારણે જ આ વ્રતનું નામ કોજાગરી પૂર્ણિમા કહેવામાં આવી છે. આ દિવસ વ્રત કરી માતા લક્ષ્મીનુ પૂજન કરવાનુ વિધાન પણ છે. ધાર્મિક ગ્રંથોમાં લખેલ શ્લોક મુજબ... 
 
निशीथे वरदा लक्ष्मी: को जागर्तिति भाषिणी।
जगाति भ्रमते तस्यां लोकचेष्टावलोकिनी।।
तस्मै वित्तं प्रयच्छामि यो जागर्ति महीतले।।
 
પૂજન વિધિ - આ વ્રતમાં હાથી પર બેસેલ ઈન્દ્ર અને મહાલક્ષ્મીનુ પૂજન કરીને ઉપવાસ રાખવો જોઈએ. રાતના સમયે માતા લક્ષ્મી સામે શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવીને ગંધ, ફૂલ વગેરેથી તેમની પૂજા કરો. ત્યારબાદ 11, 21 કે 51 પોતાની ઈચ્છા મુજબ દીવો પ્રગટાવી મંદિર, બાગ બગીચા, તુલસીની નીચે કે ભવનોમાં મુકવુ જોઈએ. સવાર થતા સ્નાન વગેરેથી પરવારીને દેવરાજ ઈન્દ્રનુ પૂજન કરી બ્રાહ્મણોને ઘી-ખાંડ મિશ્રિત ખીરનુ ભોજન કરાવીને વસ્ત્ર વગેરેની દક્ષિણા અને સોનાનો દીપક આપવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. 
 
 
આ દિવસે શ્રીસૂક્ત, લક્ષ્મી સ્ત્રોતનો પાઠ બ્રાહ્મણ દ્વારા કરાવીને કમળકાકડી બેલ કે પંચમેવા અથવા ખીર દ્વારા દશાંશ હવન કરાવવુ જોઈએ. આ વિધિથી કોજાગર વ્રત કરવાથી માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે અને ધન ધાન્ય, માન-પ્રતિષ્ઠા વગેરે બધા સુખ પ્રદાન કરે છે. 
 
1. શનિવારની સાંજે માં લક્ષ્મીની પૂજા કરો. મા લક્ષ્મીના ચરણોમાં 7 કોડિયો મુકો. રાત્રે 12 વાગ્યા પછી આ કોડીઓને ઘરમાં દાટી દો. તેનાથી જલ્દી જ તમારી ધન સંબંધી સમસ્યા દૂર થશે. 
 
2. લક્ષ્મી પૂજામાં ચાંદીના સિક્કા પણ મુકો. પછી તેને તમારી તિજોરીમાં મુકી દો. તમારી તિજોરી પૈસાથી ભરેલી રહેશે.  
 
3. સવારે લક્ષ્મી મંદિરમાં જાવ અને મા લક્ષ્મીને કમળના ફૂલ અને સફેદ મીઠાઈ અર્પિત કરો તેનાથી ધન લાભના યોગ બનશે. 
 
4. દક્ષિણાવર્તી શંખમાં કેસર ભેળવેલ દૂધ ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. તેનાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સાધકને માલામાલ કરે છે. 
 
5. સાંજે ઘરના ઈશાન ખૂણામાં ગાયના ઘી નો દીવો પ્રગટાવો. તેમા થોડુ કેસર પણ નાખો.  તેનાથી રોકાયેલુ ધન આવવાના યોગ બને છે. 
 
6. શ્રીયંત્રની પૂજા કરો. પાછળથી તેને પોતાની પૂજા સ્થાન પર સ્થાપિત કરી દો. તેનાથી પણ ધન લાભની શક્યતા બને છે. 
 
7. શુભ મુહુર્તમાં ચાંદીથી બનેલી લક્ષ્મી-ગણેશની મૂર્તિ તિજોરીમાં મુકો. તેની પૂજાથી ઘરમાં ધનની કમી નહી આવે. 
 
8. સાંજે પીપળના ઝાડ પાસે પંચમુખી દીપક પ્રગટાવો અને મા લક્ષ્મીને ધન પ્રાપ્તિ માટે  પ્રાર્થના કરો. આ ચમત્કારી ઉપાય છે. 
 
9. માતા લક્ષ્મીના મંદિરમાં કમળકાકડીની માળા અર્પિત કરો. આ ઉપાયથી મા લક્ષ્મી તમારી પર પ્રસન્ન જરૂર થશે. 
 
10. જો તમે કર્જથી પરેશાન છો તો કોઈ લક્ષ્મી મંદિરમાંથી પાણી લાવીને પીપળના વૃક્ષ પર ચઢાવી દો. તેનાથી તમને જલ્દી કર્જમાંથી મુક્તિ મળી જશે. 
 
11. જમા પુંજી વપરાઈ રહી છે તો પીપળના 5 પાનને પીળા ચંદનમાં રંગીને વહેતા પાણીમાં  વહાવી દો.  જમા પુંજી સતત વધતી રહેશે. 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .