શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : રવિવાર, 8 ઑક્ટોબર 2017 (13:06 IST)

Karva Chauth 2017- કરવા ચોથ શુભ મૂહૂર્ત અને તિથિ- મહાભારતના આ પાત્રે પણ રાખ્યું હતું કરવા ચૌથ વ્રત

પતિની લાંબી ઉમ્રની કામના માટે કાર્તિક માસના કૃષ્ણપક્ષની ચતુર્થીને કરાતું વ્રત કરવા ચોથ 8 ઓક્ટોબરે છે. સુહાગન મહિલાઓ તેમના પતિ માટે અને અપરિણીત છોકરીઓ સારા વરની ઈચ્છાથી આ દિવસે નિર્જલા ઉપવાસ રાખે છે અને ચંદ્રમાને અર્ધ્ય આઓઈબે જ વ્રતનુ પારણુ કરે છે. 
કરવા ચોથ  પૂજા મૂહૂર્ત 
દિવસ-રવિવાર
તારીખ- 8 ઓક્ટોબર 
કરવા ચૌથ પૂજા મૂહૂર્ત 17:55 થી 19:09
ચંદ્રોદય-20:14
 
 
અખંડ સૌભાગ્યનો મળે છે આશીર્વાદ 
જો કરો છો કોઈથી પ્રેમ તો જરૂર કરો આ વ્રત કરવાથી સુહાગનના પતિની ઉમ્ર લાંબી હોય છે, તેને સુખ-સમૃદ્ધિ પણ મળે છે. આ વ્રતને કરનાર મહિલાને અખંડ સૌભાગ્યનો ગૌરવ મળે છે.  
 
- દિવાલ પર ગેરુથી લીંપીને તેના પર વાટેલા ચોખાના લેપથી કરવા (નીચે આપેલ ચિત્ર) નું ચિત્ર બનાવો. 
 
- શીરો-પુરી અને પાકાં વ્યંજન બનાવો
 
- પીળી માટીથી પાર્વતી બનાવો અને તેમના ખોળામાં ગણેશજીને બેસાડો.
 
- ગૌરીને લાકડીના આસન પર બેસાડો. ગૌરીને ચુંદડી ઓઢાવો. બિંદી વગેરે સુહાગની સામગ્રી વડે ગૌરીનો શ્રૃંગાર કરો.
 
- પાણીથી ભરેલો લોટો મુકો.
 
- ભેટ આપવા માટે માટીનો ટોટીવાળો કરવો(ઘડો) લો. તેમાં ઘઉં મુકીને ઢાંકો અને ઢાંકણમાં દળેલી ખાંડ ભરી દો. તેની ઉપર દક્ષિણા મુકો.
 
- કરવા પર સ્વસ્તિક બનાવો.
 
- ગૌરી-ગણેશ અને ચિત્રિત કરવાની પરંપરાનુસાર પૂજા કરો. પતિની દીર્ઘાયુની કામના કરો. 
 
'નમઃ શિવાયૈ શર્વાણ્યૈ સૌભાગ્યં સંતતિ શુભામ્‌.
પ્રયચ્છ ભક્તિયુક્તાનાં નારીણાં હરવલ્લભે' 
 
- કરવા પર 13 બિંદી મુકો, અને ઘઉં કે ચોખાના 13 દાણા હાથમાં લઈને કરવા ચોથની વાર્તા કહો કે સાંભળો.
 
- કથા સાંભળ્યા પછી કરવા પર હાથ ફેરવી પોતાની સાસુના પગે પડી આશીર્વાદ લો અને તેમને કરવા આપી દો.
 
- તેર ઘઉંના દાણા અને પાણીનો લોટો અથવા ટોટીદાર કરવાને અલગ મુકો.
 
- રાતે ચદ્રમાઁ નીકળ્યા પછી ચારણીની આડથી તેને જુઓ અને ચદ્રને અર્ધ્ય આપો.
 
- ત્યારબાદ પતિ પાસેથી આશીર્વાદ મેળવો. તેમને ભોજન કરાવો અને પોતે પણ ભોજન કરો. 
 
મહાભારતથી સંબંધ- આ વ્રતના ચમત્કારી હોવાની એક કથા છે જ્યારે પાંદવ વનવાસ કરી રહ્યા હતા તો ભગવાન શ્રીકૃષ્ણએ તેમની બેનપણી દ્રોપદીને આ દિવ્ય વ્રત વિશે જણાવ્યું હતું. આ વ્રત કરનારને અખંડ સૌભાગ્ય હોવાનું ગૌરવ મળે છે.