શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2018 (17:45 IST)

Hindu Dharm - દીપક પ્રગટાવવાથી લક્ષ્મી, સૌભાગ્ય અને સફળતા મળે છે

ધાર્મિક સમાગમ હોય કે કોઈ શુભ કામ તેની શરૂઆત કરતા પહેલા દીવો પ્રગટાવવામાં આવે છે.  સવારે અને સાંજના સમયે કરવામાં આવતી આરતી અને પૂજામાં પણ દીવો પ્રગટાવવાની પરંપરા છે. શાસ્ત્રો મુજબ ભગવાનની પૂજામાં સૌથી વધુ મહત્વપુર્ણ નિયમ છે દીવો પ્રગટાવવો. દીવા સિવાય કોઈપણ પ્રકારની પૂજા કર્મ અધૂરા જ માનવામાં આવે છે.  સાંજ થતા પહેલા દીવો પ્રગટાવી લેવાથી ઘર-પરિવાર પર પર લક્ષ્મીની કૃપા કાયમ રહે છે. 
 
દીવો પ્રગટાવવાથી અંધારામાં પ્રકાશ પથરાય જાય છે. પ્રકાશ જ્ઞાનનો ઘોતક છે અને અંધારુ અજ્ઞાનનું, જ્ઞાન એ આંતરિક અજવાળુ છે જેનાથી બહારના અંધારા પર વિજય પ્રાપ્ત કરી શકાય છે. તેથી દીવો પ્રજવલ્લિત કરી આપણે જ્ઞાનના એ સાગર સામે નતમસ્તક થઈએ છીએ. 
 
દીવાનુ મહત્વ છે કે દીવાની અંદર જે ઘી કે તેલ હોય છે તે આપણી વાસનાઓ, આપણા અહંકારનું પ્રતીક છે અને દીવાની વાટ દ્વારા આપણે આપણી વાસનાઓ અને અહંકારને સળગાવીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવીએ છીએ. બીજી મહત્વપુર્ણ વાત એ છે કે દીવાની વાટ કાયમ ઉપરની તરફ ઉઠે છે જે દર્શાવે છે કે આપણે જીવનને જ્ઞાન દ્વારા ઉચ્ચ આદર્શો તરફ વધારવા જોઈએ. 
 
કોઈપણ મંગલ કાર્ય શરૂ કરતા પહેલા દીવાને પ્રગટાવતી વખતે આ મંત્રનો જાપ કરવાથી જલ્દી જ સૌભાગ્ય અને સફળતાઓ મળે છે. 
 
दीपज्योति: परब्रह्म: दीपज्योति: जनार्दन:।
दीपोहरतिमे पापं संध्यादीपं नामोस्तुते।।
शुभं करोतु कल्याणमारोग्यं सुखं सम्पदां।
शत्रुवृद्धि विनाशं च दीपज्योति: नमोस्तुति।।