ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

આવી રહી છે નાગપંચમી, આ છે પૂજાના નિયમ અને કથા

ભારત કૃષિપ્રધાન દેશ છે. સાંપ ખેતરનો રક્ષણ કરે છે અને જીવ જંતુ, ઉંદર વગેરે જે ઉપજને નુકશાન કરે છે, તેનો નાશ કરે છે. 
 
વર્ષ 2018ની નાગપંચમી 15 ઓગસ્ટને છે. નાગપંચમી હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. હિંદુ પંચાગના મુજવ શ્રાવણ માહની શુકલ પક્ષના પંચમીને નાગપંચમીના રૂપમાં ઉજવાય છે. આ દિવસે નાગ દેવતા કે સર્પની પૂજા કરાય છે અને તેણે દૂધથી સ્નાન કરાવાય છે. 
શું છે માન્યતા 
માનવું છે કે શ્રાવણ મહીનામાં નાગની પૂજા કરવા, નાગ પંચમીના દિવસે દૂધ પીવડાવવાથી નાગ દેવતા પ્રસન્ન હોય છે. નાગની પૂજાથી નાગદંશનો ડર નહી રહે છે. આ વિશ્વાસ છે કે નાગની પૂજાથી અન્ન ધનના ભંડાર પણ ભરેલા રહે છે. 
શા માટે કરાય છે સાંપની પૂજા 
ભારત દેશ કૃષિપ્રધાન દેશ હતો અને છે. સાંપ ખેતરનો રક્ષણ કરે છે તેથી તેને ક્ષેત્રપાળ પણ કહે છે. જીવ જંતુ, ઉંદર વગેરે જે ઉપજને નુકશાન કરે છે તેનો નાશ કરે કરીને સાંપ અમારા ખેતરને લીલાછમ રાખે છે. સાંપ અમે ઘણા મૂક સંદેશ આપે છે. સાંપના ગુણ જોવાની અમારી પાસે ગુણગ્રાહી અને શુભગ્રાહી દ્રષ્ટિ હોવી જોઈએ. ભગવાન દત્તાત્રયની  એવી શુભ દ્રષ્ટિ હતી. તેથી જ તેને દરેક વસ્તુથી કઈક ન કઈક શીખ મળી 
 
નાગપંચમીની પૂજા માટે નિયમ 
-સવારે ઉઠીને ઘરની સફાઈ કરી નિત્યકર્મથી નિવૃત થઈ જાઓ 
- સ્નાન કરી સાફ વસ્ત્ર પહેરવું. 
- પૂજન માટે સેવઈ-ચોખા વગેરે ભોજન બનાવો. 
- દીવાર પર ગેરૂ(લાલ રંગ)થી પોજન સ્થાન બનાવાય છે. પછી કાચા દૂધમાં કોલસો ઘસી તેનાથી દીવાર પર ઘર જેવી આકૃતિ બનાવે છે અને તેમાં ઘણા નાગદેવતાની આકૃતિ બનાવે છે. 
- કેટલીક જગ્યા પર સોના, ચાંદી, કે માટીની કળમ અને હળદર કે ચંદનની સ્યાહીથી કે ગોબરથી ઘરના મુખ્ય બારણાના બન્ને તરફ પાંચ ફન વાળા નાગદેવ અંકિર કરી પૂજાય છે. 
- શ્રાવણ માહમાં નાગપંચમીને ભૂમિ ખોદવું વર્જિત છે. આ દિવસે વ્રત કરીને સાંપને ખીર ખવડાય છે અને દૂધ પીવડાય છે. ક્યાં ક્યાં શ્રાવણ માહની કૃષ્ણ પક્ષ્ની પંચમેને પણ નાગ પંચમી ઉજવાય છે. આ દિવસે સફેદ કમળ પૂજામાં રખાય છે.