રવિવાર, 28 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Updated : ગુરુવાર, 31 ડિસેમ્બર 2015 (15:51 IST)

મૂલાંક 1 - જાણો મૂલાંક પ્રમાણે કેવુ રહેશે તમારા માટે વર્ષ 2016

અંકોનો આપણા જીવન પર ઉંડો પ્રભાવ રહે છે. અંકજ્યોતિષ અંકોના આધાર પર જ મનુષ્યના ભવિષ્યનું આંકલન કરે છે.  અંકજ્યોતિષ પર આધારિત રાશિફળને ખૂબ જ સટીક માનવામાં આવે છે. વર્ષ 2016 આવવાનુ છે આવામાં તમે પણ અંકોના માધ્યમથી જાણી શકો છો કેવુ રહેશે આવનારુ વર્ષ તમારે માટે. 
 
અંક જ્યોતિષમાં સૌથી વધુ મહત્વ મૂલાંકનુ હોય છે. મૂલાંક આપણી પૂર્ણ જન્મતિથિનો યોગ હોય છે. જેવુ કે જો કોઈ જાતનો જન્મ 11-11-2013ના રોજ થયો છે તો તેનો મૂલાંક રહેશે 1+1=2. 
 
આવો અંકોના માધ્યમથી જાણીએ કેવુ રહેશે વર્ષ 2016 તમારે માટે .. 
 
મૂલાંક 1 સાથે જોડાયેલા લોકો માટે વર્ષ 2016 સફળ રહેવાનુ છે. આ વર્ષે સફળતાનુ મુખ્ય સૂત્ર છે ખુદ પર નિયંત્રણ રાખવુ અને જેટલુ બની શકે પોતાની અંદર લીડરશીપ સ્કિલને લાવવી. 
 
2016માં શુ ફેરફાર કરશો - આ વર્ષે જેટલુ શક્ય બને વિવાદોથી દૂર રહો.  એકલતાને ખુદથી દૂર રાખવાનો નિયમ લો. અંક 1 ખૂબ જ ઉકેલાયેલો નંબર હોય છે.  તેથી તમે પણ આ વર્ષે એક સ્પષ્ટ વ્યક્તિની જેમ વ્યવ્હાર કરો. 
 
શુ કરશો 2016માં - જો તમે કંઈક ચેંજ કરવા ઈચ્છો છો તો આ વર્ષ તમારે માટે લાભકારી હોઈ શકે છે. આ વર્ષે નોકરી, ઘર કે પોતાનો ફોન વગેરેને બદલવાનો નિર્ણય યોગ્ય સાબિત થશે. 
 
આ વર્ષે તમારા સપના જલ્દી પૂરા થઈ શકે છે.  તમે ખુદને ખૂબ જ ઉર્જાવાન જોશો. આ ઉર્જા તમને મુશ્કેલીના સમયમાં બહાર નીકળવામાં મદદ કરશે.  રાશિફળ 2016ના મુજબ તમારા સપના આ વર્ષે જરૂર પૂરા થશે. 
 
નોંધ - આ વર્ષે રૈનબૉવ મતલબ ઈન્દ્રધનુષના બધા સાત રંગ તમારે માટે લાભકારી સાબિત થશે.