મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 21 ઑગસ્ટ 2018 (17:23 IST)

કેરલ પૂર પીડિતો માટે સની લિયોનીની દરિયાદિલી... દાનમાં આપ્યા 5 કરોડ

કેરલના લોકો વર્તમાન દિવસોમાં ત્રાસદીનો સામનો કરી રહ્યા છે. આવામાં તેમની મદદ માટે દેશભરના લોકો આગળ આવી રહ્યા છે.  બિઝનેસમેનથી લઈને બોલીવુડ જગત પણ આમાં પાછળ નથી. રહ્યુ. શાહરૂખ, અક્ષય, ઈશા ગુપ્તાથી લઈને તમિલ સ્ટાર ચિયાન વિક્રમ કેરલના લોકોની મદદ માટે આગળ આવ્યા.

આવામાં સોશિયલ મીડિયા પર સમાચાર છેકે સની લિયોનીએ પણ કેરલમાં પૂર પીડિતો માટે લોકોની મદદ માટે 5 કરોડ રૂપિયાની મદદ કરી છે.  જો કે સનીએ પોતે આ પ્રકારની કોઈ વાતનો દાવો નથી  કર્યો.

સમાચાર સાચા છે કે નહી એ જાણવા માટે જ્યારે સની અને તેમના પતિ ડેનિયલ બેબરને વાત કરી તો તેમને આ વિશે કોઈ જવાબ ન આપ્યો.  બીજી બાજુ સની લિયોનીના મેનેજર ઈબ્રાહિમ સાથે સંપર્ક કર્યો તો તેણે 5 કરોડ રૂપિયા વાત આપવાની વાત પર એટલુ જ કહ્યુ કે તેમણે કેરલ પીડિતો માટે દાન તો આપ્યુ છે પણ દાનને અમે સાર્વજનિક  નથી કરી શકતા. કારણ કે આ તેમની ખૂબ જ વ્યક્તિગત વાત છે. 
 
 
બીજી બાજુ સનીની તુલના પેટીએમના માલિક વિજય શેખર સાથે પણ કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા વિજયે કેરલને 10 હજાર રૂપિયા ડોનેશનના રૂપમાં પાયા અને તેને સોશિયલ મીડિયા પર શેયર પણ કર્યુ. વિજય શેખરના આ સ્ક્રીનશોટ પર લોકો કમેંટ કરી રહ્યા છે કે અરબપતિ હોવા છતા તેમણે ફ્કત 10 હજાર રૂપિયાનુ દન કર્યુ અને તેનો પ્રચાર કરતા પણ ચૂક્યા નહી.