ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By

ભાઈબીજ : ભાઈબહેનનો અપાર પ્રેમ, જાણો ભાઈબીજનું મુહુર્ત

કારતક સુદ પક્ષની બીજના દિવસે યમરાજનું પુજન કરવામાં આવે છે તેથી યમબીજ કહે છે. આ તહેવારનું મુખ્ય લક્ષ્ય ભાઈ-બહેનના પવિત્ર સંબંધની સ્થાપના અને પ્રેમભાવની સ્થાપના કરવાનો છે. આ દિવસે બહેન બેરી પુજન કરે છે અને ભાઈના દિર્ધાયુષ્ય માટેની પ્રાર્થના કરે છે. 

 
ભાઈબીજ પર શું કરશો?
 
 
* બ્રહ્મ મુહુર્તમાં ઉઠીને ઘરના કામકાજ પરવારી શરીર પર તેલની માલીશ કરીને સ્નાન કરો.
* આ દિવસે ભાઈ પણ તેલની માલિશ કરીને ગંગા યમુનામાં સ્નાન કરે.
* બહેન નીચેના મંત્ર દ્વારા ભાઈને અભિનંદન કરે-

भ्रातस्तवानुजाताहं भुंक्ष्व भक्तमिमं शुभं।
प्रीतये यमराजस्य यमुनाया विशेषतः॥

* બહેન ભાઈને ભોજન કરાવીને તિલક લગાવો.
* આ દિવસે બહેન ભાઈને ભોજનમાં ભાત ખવડાવે.
* ભાઈ ભોજન બાદ બહેનના ચરણ સ્પર્શ કરીને તેને ઉપહાર સ્વરૂપ વસ્ત્રાદિ અર્પણ કરે.
* આ દિવસે ભાઈએ પોતાની બહેનના ઘરે જઈને ભોજન કરવું જોઈએ.
* ભાઈને હાથ-પગ ધોવડાવીને શુભ આસન પર બેસાડી પોતાની યથાશક્તિ પ્રમાણે બનાવેલ વાનગીઓ દ્વારા ભાઈને ભોજન કરવે.
* ભોજન બાદ ભાઈને તિલક લગાવીને તેના આયુષ્ય માટે પ્રાર્થના કરો.
* ભાઈ પક્ણ પોતાની બહેનને યથશક્તિ પ્રમાણે સૌભાગ્ય વસ્તુઓ તેમજ અન્ય દ્વવ્ય આપીને સૌભાગ્ય માટેની પ્રાર્થના કરો.
* આ દિવસે યમરાજ અને યમુનાજીની પુજાનું પણ મહ્ત્વ છે. ભાઈ-બહેન યમુના અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરીને આયુષ્ય તેમજ સૌભાગ્ય માટેની પ્રાર્થના કરે.

પુજા માટેના મહત્વપૂર્ણ મંત્રો.

યમ પુજા માટે-

धर्मराज नमस्तुभ्यं नमस्ते यमुनाग्रज।
पाहि मां किंकरैः सार्धं सूर्यपुत्र नमोऽस्तु ते॥

યમરાજને અર્ધ્ય માટે -

एह्योहि मार्तंडज पाशहस्त यमांतकालोकधरामेश।
भ्रातृद्वितीयाकृतदेवपूजां गृहाण चार्घ्यं भगवन्नमोऽस्तु ते॥


યમુના પુજા માટે-

यमस्वसर्नमस्तेऽसु यमुने लोकपूजिते।
वरदा भव मे नित्यं सूर्यपुत्रि नमोऽस्तु ते॥

ચિત્રગુપ્તની પ્રાર્થના માટે-


मसिभाजनसंयुक्तं ध्यायेत्तं च महाबलम्‌।
लेखनीपट्टिकाहस्तं चित्रगुप्तं नमाम्यहम्‌॥

ભાઈબીજના દિવસે ચિત્રગુપ્તની પુજાની સાથે સાથે પુસ્તકો, કલમ, ખડીયાની પણ પુજા કરવામાં આવે છે. યમરાજના આલેખક ચિત્રગુપ્તની પુજા કરતી વખતે એવું કહેવામાં આવે છે કે -લેખનપટ્ટિકાહસ્તચિત્રગુપ્નમામ્યહ

બીજનું મહ્ત્વ

* વણિક વર્ગ માટે આ નવા વર્ષનો પહેલો દિવસ કહેવાય છે.
* કારતક સુદ બીજના દિવસે ચિત્રગુપ્તનું પુજન કલમના રૂપમાં કરવામાં આવે છે. જો બહેન આ દિવસે પોતાના હાથેથી ભાઈને ભોજન કરાવે તો તેની ઉંમર વધી જાય છે અને જીવનના કષ્ટ દુર થાય છે.
* આ દિવસે બહેનના ઘરે ભોજન કરાવાનું મહત્વ છે.