દશેરા/વિજયાદશમી પર કરેલો આ પ્રયોગ ક્યારેય નિષ્ફળ નથી જતો, ભરી લો તમારી તિજોરી
દશેરા શક્તિ પૂજનનો દિવસ છે. પ્રાચીન શાસ્ત્રીય પરંપરા મુજબ આજ સુધી ક્ષત્રિય-ક્ષત્રપોનું અહી શક્તિ પૂજનના રૂપમાં અસ્ત્ર-શસ્ત્રોનુ અર્ચન-પૂજન થાય છે. બધા કાર્યોમાં સિદ્ધિ પ્રદાન કરનારો આ દશેરાનો તહેવાર છે. જે બધા મનવાંછિત ફળ પ્રદાન કરે છે.
અશ્વિન મહિનાના શુક્લ પક્ષમાં દશમી તિથિને વિજયા કહે છે. જે બધા કાર્યોમાં સિદ્ધિ પ્રદાન કરે છે. તેથી આ દિવસે શરૂ કરવામાં આવેલ કોઈપણ કાર્ય ચોક્કસ જ સિદ્ધિ પ્રદાન કરનારુ છે. સાંસારિક પરેશાનીઓ દૂર કરવા માટે આ દિવસે કરવામાં આવેલ પ્રયોગ ક્યારેય નિષ્ફળ થતા નથી. કોઈને કોઈ પ્રકારનુ નુકશાન થતુ નથી.
- વિજયા દશમી પર યાત્રા ખૂબ શ્રેયસ્કર હોય છે. નાનકડી જ ભલે પણ આ દિવસે યાત્રા જરૂર કરો.
- શમીના ઝાડનુ પૂજન કરી તેના પાન તિજોરીમાં મુકવાથી ક્યારેય ધનની કમી આવતી નથી.
- દશેરાના દિવસે ઘટ સ્થાપનાવાળુ કળશ થોડીવાર માટે માથા પર મુકવાથી ભગવતી દેવીનો આશીર્વાદ મળે છે.
- વૈભવ સંપન્નતા અને સૌભાગ્ય માટે સ્વચ્છ કપડાને પાણીમાં પલાળીને સારી રીતે નિચોડીને માતાના ચરણ લૂંછો પછી એ વસ્ત્રને તમારા ઘર અથવા દુકાનની તિજોરીમાં મુકો.
- ધનનો અભાવ સદા માટે સમાપ્ત કરવા માટે દસ વર્ષથી નાની વયની કન્યાઓને તેની પ્રિય વસ્તુ ભેટ કરો. પછી તેમના હાથથે પૈસા કે રૂપિયા અથવા દુકાનની તિજોરીમાં મુકાવડાવો.
- મંદિરમાં જઈને માતા દુર્ગાના ચરણોમાં લાગેલ સિંદૂરની ટીકા કરો. સુહાગન મહિલાઓ પોતાની માંગ પણ ભરે. ચપટીભર સિંદૂર ઘરે લાવીને મુકો વૈભવ.. સંપન્નતા અને સમૃદ્ધિ બની રહે છે.
- માનવામાં આવે છેકે નીલકંઠ પક્ષીના દર્શન દશેરાના દિવસે થવાથી આખુ વર્ષ ખુશી અને પ્રગતિ સાથે સાથે રહે છે. ભગવાન રામે પણ આ પક્ષીના દર્શન પછી રાવણનો વધ કર્યો હતો.
- રાવન દહન પછી બળેલી લાકડીના ટુકડાને ઘરે લાવીને સાચવી રાખો. તેનાથી ઉપરી અવરોધો, ચોરીની શક્યતા અને નજરદોષથી બચાવ થાય છે.