શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

બ્યુટિ ટિપ્સ : ગ્લીસરીન દ્વારા સૌદર્ય નિખારો

* હાઇડ્રોજન પેરોક્સાઇડનું એક ઢાંકણ તથા થોડાક ટીંપા ગ્લીસરીનના નાંખીને તેને ફાટેલી એડીઓ પર લગાવો. થોડીક વાર બાદ પાણીથી સાફ કરી લો. આનાથી ફાટેલી એડીઓ મુલાયમ થઈ જશે.

* નખ જો વધારે પડતાં રફ અને કડક થઈ ગયાં હોય તો નવાયા પાણીમાં ત્રણ-ચાર ટીંપા ગ્લીસરીન ભેળવીને તેમાં નખ ડુબાળી રાખો આનાથી નખ એકદમ મુલાયમ થઈ જશે અને સરળતાથી કપાશે.

* એક ચમચી મધ અને એક ચમચી ગ્લીસરીન ભેળવીને આખા ચહેરા પર લગાવી લો. વીસ મિનિટ બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. દરરોજ આ પ્રયોગ કરવાથી તમારો ચહેરો ખીલી ઉઠશે.

* બે ચમચી ગ્લીસરીન, બે ચમચી સરકો ભેળવી તેને વાળના મૂળમાં લગાવી દો. 15-20 મિનિટ બાદ વાળને ઠંડા પાણીથી ધોઇ લો. આનાથી ખોડો દૂર થશે અને વાળ પણ મુલાયમ થશે.

* કાચા દૂધમાં બે-ત્રણ ટીંપા ગ્લીસરીન ભેળવી તેને ચહેરા પર લગાવી તેને સાફ કરી લો તેનીથી ચહેરા પરના મૃત કોષો દૂર થશે અને ચહેરો ચમકવા લાગશે.

* કરચલીઓથી બચવા માટે ગુલાબની પાંદડીઓને ગ્લીસરીનમાં ભેળવી તેને આખી રાત ચહેરા પર લગાવી રાખો અને સવારે ચહેરાને ધોઈ લો આનાથી ડાઘ પણ દૂર થશે અને કરચલીઓ પણ ઓછી થઈ જશે.