શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 29 માર્ચ 2017 (15:50 IST)

આ રોગોમાં લસણ ખાવાથી ફાયદા નહી, થશે નુકશાન

આહારમાં દરેક શાક અને મસાલાના જુદા-જુદા ફાયદા અને નુકશાન હોય છે. કેટલાક લોકો માટે એક વસ્તુ ખાવાથી ફાયદા આપી શકે છે ત્યાં બીજા માટે નુકશાનદાયક પણ થઈ શકે છે. લસણ આમ તો આરોગ્ય માટે ફાયદાકારી હોય છે પણ આરોગ્ય સંબંધી કેટલીક પરેશાનીઓમાં તેનું સેવન નુકશાનદેહ પણ થઈ શકે 
છે. તેની તાસીર ગર્મ હોય છે. અને ગર્મીમાં તેનો ઉપયોગ ઓછું કરી નાખવું જોઈએ. 
1. પેટની સમસ્યા- પેટમાં અલ્સર, ડાયરિયા કે કોઈ પ્રકારની એલર્જી હોય તો લસણના સેવન કરવાથી પરહેજ કરવું. તેનાથી પરેશાની પણ વધી શકે છે. 
 
2. લોહીમાં ઉણપ- જે માણસને એનીમિયા એટલેકે લોહીની ઉણપ છે. તેને લસણ નહી ખાવું જોઈએ. તેને ખાવાથી હીમોલેટિક એનિમિયા થઈ શકે છે. જેનાથી લોહીની પણ વધારે ઉણપ થઈ શકે છે. 
 
3. લો બીપી- બીપી લો રોગીને લસણ ખાવું ઓછી કરું નાખવું જોઈએ. ઓછું રક્તચાપમાં લસણ ખાવાથી પરેશાની વધી શકે છે. 
 
4. હોમ્યોપેથિક દવાઓ- કેટલાક લોકો દરરોજ હોમ્યોપેથિક દવાઓના સેવન કરે છે તો તેના માટે લસણનો સેવન કરવું ઠીક નહી છે. તેનાથી દવાઓ અસર પણ ઓછું થઈ જાય છે. 
 
5. પ્રેગ્નેંસી- ગર્ભવતી મહિલાને લસણ ખાવું ઓછું કરી નાખવું જોઈએ. લસણની તાસીર ગર્મ હોય છે. જેનાથી બાળકને નુકશાન થઈ શકે છે. 
 
6. ઑપરેશન કરાવતા પહેલા- જો આપ્રેશન કરાવતા પહેલા લસણ ખાવું બંદ કરી નાખવું. લસણ ખાવાથી લોહી પાતળું હોય છે જે યોગ્ય નથી.