ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

હેલ્થ ટિપ્સ - નાસ્તો કરતી વખતે ન કરશો આ ભૂલ

રાત્રે સૂઈ ગયા પછી જ્યારે પણ લોકો સવારે ઉઠે છે તો તે નાસ્તો કરે છે. સવારે હેલ્ધી નાસ્તો કરવાના અનેક ફાયદા હોય છે. પણ સવારે નાસ્તો કરતા પહેલા એ વાતનુ જરૂર ધ્યાન આપવુ જોઈએ કે જે તમે નાસ્તો કરી રહ્યા છો તે હેલ્દી જ હોય.  અનેક લોકો સવારે નાસ્તામાં કંઈક એવી વસ્તુઓનો ઉપયોગ કરે છે જે તેમના આરોગ્ય માટે સારુ નથી હોતુ. અહી અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે બતાવી રહ્યા છીએ જેનો ઉપયોગ નાસ્તામાં ન કરવો જોઈએ. 
 
ચા કે કોફીમાં ન ભેળવો આ વસ્તુઓ - અનેક લોકો ચા કે કોફીમાં ફૈટી ક્રીમ મિક્સ કરી લે છે. તેનાથી ચા કે કોફી ખૂબ સ્વાદિષ્ટ થઈ જાય છે. પણ લોકોએ ધ્યાન રાખવુ જોઈએ કે ફૈટી ક્રીમને ન મિક્સ કરો. તેનાથી વજન વધવાનો ખતરો બન્યો રહે છે. 
 
જમવામાં ન મિક્સ કરો વધુ મીઠુ - આમ તો મીઠાનો ઉપયોગ ખાવામાં એટલો જ કરવો જોઈએ જેટલો જરૂરી છે. વધુ મીઠાનો ઉપયોગ તમારા આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.  આ જ રીતે જયારે પણ નાસ્તો બનાવડૅઅવો તો ધ્યાન રાખો કે તેમા મીઠાનુ પ્રમાણ વધુ ન હોય. 
 
સવારે ન ખાશો પિજ્જા અને કેક  - સવાર સવારે એવી વસ્તુઓનો નાસ્તો કરવો જોઈએ જે તમને આખો દિવસ એક્ટિવ બનાવી રાખે. અનેક લોકો સવારે ઉઠતા જ પિજ્જા કે કેકનુ સેવન કરવા માંડે છે. નાસ્તામાં આ બધી વસ્તુઓ ખાવાથી લોકોએ હંમેશા બચવુ જોઈએ. 
 
નાસ્તો કરતી વખતે આ કામ ન કરશો - જ્યારે પણ નાસ્તો કરો તો યાદ રાખો કે તમારુ ધ્યાન ફક્ત નાસ્તામાં જ રહે. નાસ્તા સાથે ટીવી કે ફિલ્મો ન જ ઓવી જોઈએ.  તેનાથી તમારુ ધ્યાન નાસ્તા પર નહી રહે.  આવામાં તમે સારી રીતે નાસ્તો નહી કરી શકો.