આ કારણોથી પેટમાં દુ:ખાવો થાય છે.. આનાથી રહો દૂર
પેટમાં ગેસ એક સામાન્ય સમસ્યા છે. જેનાથી મોટાભાગે લોકો પરેશાન જ રહે છે. એક શોધ મુજબ આખા દિવસમાં 20 વાર વ્યક્તિના પેટમાં ગેસ બને છે જે પેટ દુખાવાનુ કારણ બને છે. તેનાથી બચવા માટે કેટલાક ઉપાય આ પ્રકારના છે.
1. આ ખાદ્ય પદાર્થો ન ખાશો - ફ્લાવર, બીંસ અને કઠોળ પેટમાં એસીડીટીનુ કારણ બને છે. તેથી આ પદાર્થોનું
સેવન કરતા બચો.
2. ચાવીને ખાવ - જો ખાવાનુ જલ્દી ખાઈને સમાપ્ત કરી દો છો તો આ આદતને બદલો. ખોરાકને આરામથી ચાવીને ખાવાથી ગેસ નથી બનતી.
3. ઠંડા પીણાંં ન પીવો - કોલા, બીયર જેવા પેય પદાર્થ પેટમાં ગેસ બનાવે છે. આ પેય પદાર્થોને પીવાથી બચો.
4. સ્મોકિંગ ન કરશો - ધૂમ્રપાન પણ એસિડીટનું સૌથી મોટુ કારણ છે. કારણ કે ધૂમ્રપાન કરતી વખતે પેટમાં ધુમાડ સાથે હવા પણ જાય છે. જેનાથી પેટમાં ગેસ બને છે.
5. વધુ સૉસ ન ખાશો - ખોરાક સાથે સોસ અને શરબતનુ વધુ સેવન કરવાથી ફ્રક્ટોજ કૉન સિરપની માત્રા વધી જાય છે. જો કે પેટની સમસ્યાઓનુ કારણ બને છે.
6. અત્યાધિક ન ખાશો - અનેકવાર આપણે સ્વાદના ચક્કરમાં વધુ ખાઈ લઈએ છીએ જેનુ પરિણામ આપણને પેટના દર્દમાં રૂપમાં ભોગવવુ પડે છે.
7. વ્યાયામ કરતા રહો - વ્યક્તિએ વ્યાયામ કરતા રહેવુ જોઈએ. કારણ કે તેનાથી પાચન ક્રિયા યોગ્ય રહે છે અને ભોજન પણ સારી રીતે હજમ થઈ જાય છે.
8 પ્રોબૉયોટિક્સ યુક્ત ભોજન - તમારા ખોરાકમાં દહી અને સોયા મિલ્ક જેવા ખોરાકને સામેલ કરવા જોઈએ. તેનાથી હાજમા સારો રહે છે અને પેટ સંબંધી રોગોથી આરામ મળશે.
8. એંટી બાયોટિક્સથી રહો દૂર - એંટી બાયોટિક્સ તમારા પેટમાં રહેલ સારા બેક્ટેરિયાનો નાશ કરે છે. જેનાથી ભોજન પચાવવામાં તકલીફ થાય છે અને પેટમાં દુખાવો થઈ શકે છે.