પાણી ક્યારે ન પીવું જોઈએ?
* ફિટ રહેવા માટે પાણી પીવાના પણ નિયમ હોય છે. તેમાંથી કેટલાક ખાસ નિયમ અહીં જણાવ્યાં છે-
* વ્યાયામ કર્યા બાદ કે તાપમાંથી આવ્યા બાદ તુરંત જ પાણી ન પીશો. * જ્યારે તમારૂ પેટ બિલકુલ ખાલી હોય અને તમે ભોજન કરવાના હોય ત્યારે પણ પાણી ન પીશો. ત્યારે પાણી પીવાથી પાચન શક્તિ નબળી પડી જાય છે. ભોજન બાદ પેટ ભરીને પાણી પીવું પણ નુકશાનકારક છે. * પાકેલા ફળ, કાકડી, તડબુચ અને સુકો મેવો ખાધા બાદ પણ પાણી ન પીવું જોઈએ. * સુઈને ઉઠ્યા બાદ તુરંત જ પાણી પીવાથી પણ થોડાક લોકોમાં શરદી થવાનો ભય રહે છે. તેથી આવા લોકો સવારે ઉઠીને પાણી ન પીશો.
* ચિકણા કે ખાટા પદાર્થ ખાધા બાદ, ચા-દૂધ પીધા બાદ, છીંક આવ્યા બાદ, સંભોગ બાદ તુરંત પાણી ન પીશો.