શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 26 માર્ચ 2015 (11:40 IST)

કેજરીવાલે ઘર ખાલી કરાવતા વિસ્તારના લોકોએ 'હાશ..' અનુભવી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનુ ઘર ખાલી કરતા જ ત્યા રહેનારા લોકોમાં ખુશીની લહેર આવી ગઈ. કેજરીવાલ મંગળવારે મોડી સાંજે ગાજિયાબાદથી દિલ્હી શિફ્ટ થઈ ગયા છે. હવે કૌશાંબીના રેજિડેંટ્સે રાહતની શ્વાસ લીધા છે. લોકોને કહેવુ હતુ કે કેજરીવાલે અહી રહેવાથી આખી પુરી કોલોનીની શાંતિ વ્યવસ્થા પ્રભાવિત થઈ રહી હતી. સૂત્રોના મુજબ મંગળવારે સાંજે લગભગ સાતથી આઠની વચ્ચે કેજરીવાલે પોતાના પરિવાર સાથે દિલ્હી શિફ્ટ થઈ ગયુ. 
 
કેજરીવાલનો સામાન પહેલાથી જ ધીરે ધીરે દિલ્હી શિફ્ટ થઈ રહ્યો હતો. જેનાથી અહી લોકો હવે ખૂબ ખુશ છે. લોકોનુ કહેવુ છે કે કેજરીવાલેન કારણે કૌશાંબીમાં લોકોની ભીડ લાગી રહેતી હતી. દરેક સમયે નારાબાજી હોવાને કારણે કોલોનીમાં શાંતિ વ્યવસ્થા ખતમ થઈ ગઈ હતી. બીજી બાજુ કેજરીવાલને મળવાના આવનારા લોકો રસ્તાઓ પર ગમે તેમ ગાડીઓ પાર્ક કરી દેતા હતા. આવામાં અવર જવર કરવામાં મુશ્કેલી પડતી હતી.