શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 2 નવેમ્બર 2016 (12:12 IST)

પીએમ મોદીના 'મન કી બાત' ને ટક્કાર આપશે લાલૂની 'કામ કી બાત' ?

શ્રી નરેન્દ્ર મોદીની મન કી બાત ને પડકાર આપવા રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદ ''કામ કી બાત'' થી ટક્કર આપશે.  દર મહિને તેઓ  મોદી દ્વારા અપાયેલ વચનો અને તે પૂરા નથી કર્યા તેની વિગતો જાહેર કરશે. આ વખતે તેમણે 'આશા' કર્મચારીઓને આપેલ ફોગટ વચનોની યાદ અપાવી છે. તેમણે સંવાદદાતાઓને સંબોધિત કરતા આરોપ લગાવ્યો કે મન કી બાતના એક કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ આશા કાર્યકર્તા વિશે અનભિજ્ઞ થવાની વાત કરી હતી. 
 
તેમણે કહ્યુ કે બિલ ગેટ્સ અને મિલિંડા ગેટ્સે આશા કાર્યકર્તાઓના કાર્યોની પ્રશંસા સાંભળ્યા પછી તેમને આશા નેટવર્કની જાણ થઈ. 
 
રાજદના પ્રદેશ અધ્યક્ષ રામચંદ્રના પૂર્વ સાથ સંવાદદાતાઓને સંબોધિત કરતા રઘુવંશે કહ્યુ કે તેમણે પ્રધાનમંત્રીને પત્ર પણ પણ લખ્યુ કે આશા કાર્યકર્તાઓને કોઈ માસિક મજૂરી નથી મળતી. મહિનામાં એક બે ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જવાને બદલે કેટલી રાશિ મળી જાય છે. તેમણે કહ્યુ કે આ પ્રકારના દેશભરમાં કાર્યરત લગભગ 20 લાખ આંગનવાડી સેવિકાઓ અને સહાયિકાઓ કાર્યરત છે.  જેમણે માત્ર 3000 અને 1500 રૂપિયા જ માસિક મળે છે.   રઘુવંશે કહ્યુ કે દર મહિને કામ કી બાતના આયોજન દ્વારા રાજદ પ્રધાનમંત્રી દ્વારા લોકોને કરવામાં આવેલ જે વાયદા પૂરા નથી થયા તેમને ઉજાગર કરશે અને આશા કાર્યકર્તાઓ, આંગનવાડી સેવિકાઓ અને સહાયિકાઓ અને ખેડૂતોને સવાલને લઈને સંઘર્ષ તેજ કરશે. 
 
શ્રી નરેન્દ્ર મોદીની મન કી બાત ને પડકાર આપવા રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદ ''કામ કી બાત'' થી ટક્કર આપશે : દર મહિને તેઓ દર મહિને મોદી દ્વારા અપાયેલ વચનો અને તે પૂરા નથી કર્યા તેની વિગતો જાહેર કરશે. આ વખતે તેમણે 'આશા' કર્મચારીઓને આપેલ ફોગટ વચનોની યાદ અપાવી છે