શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 18 જાન્યુઆરી 2016 (11:25 IST)

કેજરીવાલ પર સ્યાહી ફેંકીને ભાવના બોલી - ઓડ-ઈવન પાછળ CNG કૌભાંડ, આજે કોર્ટૅમાં રજુઆત

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર શ્યાહી ફેંકનારી ભાવના અરોરાએ સવારે 10 વાગ્યે રોહિણી કોર્ટમાં રજુ થવાનુ છે. ભાવના વિરુદ્ધ પોલીસે આઈપીસીની ધારા 186, 353 અને 355ના હેઠળ કેસ નોંધ્યો છે. રવિવારે રાત્રે કોર્ટે તેમને પર્સનલ બેલ બૉંડ પર છોડી દીધો હતો અને સવારે રજુ થવા માટે કહ્યુ હતુ. ભાવનાનો આરોપ છે કે ઑડ-ઈવન સ્કીમની આડમાં મોટુ સીએનજી કૌભાંડ થયુ છે. 
 
છત્રસાલ સ્ટેડિયમમાં ફેંકી શ્યાહી 
 
ભાવનાએ કેજરીવાલ પર ત્યારે શ્યાહી ફેંકી હતી જ્યારે તેઓ દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં ઑડ ઈવન ફોર્મૂલાના 15 દિવસના ટ્રાયલની સફળતાનો ઉત્સવ ઉજવી રહ્યા હતા. ભાવનાની પોલીસે ધરપકડ કરી લીધી. ડિપ્ટી સીએમ સિસોદિયાએ કહ્યુ આ સીએમની હત્યાનુ ષડયંત્ર છે. તેમનુ કહેવુ હતુ કે જો જાહેરમાં કેજરીવાલ પર શ્યાહી ફેંકી શકાય છે તો આ રીતે તેમની પર ગોળી પણ ચલાવી શકાય છે.