હિન્દુઓ કરતા વધુ વધી રહી છે મુસ્લિમ વસ્તી
2011ની જનગણનાના મુજબ અગાઉ (2001)ની તુલનામાં હિન્દુઓની સંખ્યા 0.7 ટકા ઓછી થઈ છે. જ્યારે કે મુસ્લિમોની સંખ્યા 0.8 ટકા વધી છે. મોદી સરકાર તરફથી રજુ એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. રજિસ્ટાર જનરલ એંડ સેંસસ કમિશ્નર તરફથી મંગળવારે ધાર્મિક આધાર પર કરાવવામાં આવેલ જનગણનાના પરિણામ રજુ કરવામાં આવ્યા. પોપોલેશન બાય રીલિજિયસ કમ્યુનિટીજ ઓફ સેંસસ 2011 નામથી રજુ રિપોર્ટમાં સિખોની વસ્તી પણ કુલ જનસંખ્યાની તુલનામાં 0.2 ટકા ઓછી થઈ છે. ઈસાઈ અને જૈન ધર્મ માનનારા લોકોની વસ્તી 2001 થી 2011 દરમિયાન લગભગ બરાબર જ રહી છે.
કોની કેટલી વસ્તી
2001-2011 દરમિયાન દેશની કુલ વસ્તી 17.7 ટકા વધીને 121.09 કરોડ થઈ ગઈ. જુદા જુદા ઘર્મોના લોકોની સંખ્યા અને કુલ વસ્તીમાં તેમનો ભાગ આ પ્રકારનો છે.
ધર્મ કુલ વસ્તી (121.09 કરોડ) 2001-2011માં કોણી કેટલી વસ્તી વધી (%માં) કુલ વસ્તીમાં કેટલા % |
|
હિંદુ 96.63 કરોડ 16.8 79.8% |
મુસ્લિમ 17.22 કરોડ 24.6 14.2 % |
ઈસાઈ 2.78 કરોડ 15.5 2.3 % |
સિખ 2.08 કરોડ 8.4 1.7 % |
બૌદ્ધ 0.84 કરોડ 6.1 0.7 % |
જૈન 0.45 કરોડ 5.4 0.4 % |
આંકડા રજુ કરવા પર પ્રશ્ન પણ
અનેક લોકોનુ માનવુ છેકે મોદી સરકારે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ધર્મ આધારિત વસ્તીગણતરીના આંકડા રજુ કરી ઈલેક્શન કાર્ડ રમ્યુ છે. તેમનુ માનવુ છે કે બિહારમાં ઓક્ટોબર-નવેમ્બરમાં ચૂંટણી થશે અને રાજ્યની 243 સીટોમાંથી 50 પર આની અસર પડી શકે છે.