શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated : બુધવાર, 31 ઑગસ્ટ 2016 (12:01 IST)

સૌની યોજના ભાજપ અને પ્રધાનમંત્રીને જ મુબારક - શંકરસિંહ વાઘેલા

વડાપ્રધાનશ્રીએ સૌની યોજનાથી છ નદીઓને જોડવાની વાત કરી. હકીકતમાં આવો જ રાજકીય સ્ટંટ તેમણે સિદ્ધપુર ખાતે સરસ્વતી-નર્મદાના મિલન વખતે કરેલો. જેમાં સાધુ-સંતોને ભેગા કરી, સરસ્વતી નદીમાં એક મોટો હોજ બનાવી, નીચે પ્લાસ્ટીક પાથરી તેમાં પાણી ભરેલું અને તેમાં હોડકા ચલાવ્યા હતા. તે સમયે તેમના ભાષણમાં આને સરસ્વતી-નર્મદાના જોડાણ તરીકે ખપાવેલું, એવું જ આ છ નદીઓના જોડાણ કે મિલનની વાતનું છે. જો નર્મદાના નીર એસ્કેપ દ્વારા નર્મદાની કેનાલમાંથી છ નદીઓમાં પધરાવીને તેને નદીઓનું મિલન કે જોડાણ કહેતા હોય તો તે ભાજપ અને પ્રધાનમંત્રીને જ મુબારક.