શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ , મંગળવાર, 29 એપ્રિલ 2014 (18:11 IST)

અડવાણીને વોટ ન આપશો... !!!

. જો તમે એવુ વિચારતા હોય કે સંઘ પરિવાર સાથે જોડાયેલ તત્વ ટ્વિટર પર મોદીની વાતથી પ્રભાવિત થઈને પાર્ટીના હિતમાં કામ કરવા લાગ્યા હશે તો એકવાર ફરીથી વિચારી લો કે આવુ નથી. આ મોદીના ગઢ ગુજરાતમાં એલ કે અડવાણીવાળા ક્ષેત્ર ગાંધીનગરમાં થઈ રહ્યુ છે. અહી મોદી સમર્થક લોકો જ કહી રહ્યા છે કે અડવાણીને વોટ ન આપો. 
 
અડવાણીના વિરુદ્ધ એક ઉમેદવાર છે સંજય કુમાર બ્રહ્મભટ્ટ જે નિમ્નજાતિ હિન્દૂ શિવસેનાના છે. જેમનો સંબંધ બાલ ઠાકરેની શિવસેના સાથે પણ નથી. પણ લોકોને ભડકાવવા બાબતે તેઓ કોઈ પણ રીતે પાછા પડે તેમ નથી. ગાંધીનગરના મેમનગર વિસ્તારમાં બ્રહ્મભટ્ટે પેપર વહેંચાવ્યા છે.  જેમા સંજયે જ્ણાવ્યુ કે તેમણે પોતાનુ ચૂંટણી ચિહ્ન માસ કાપવાનો છરો કેમ પસંદ કર્યો છે કારણ કે જ્યારે ગાંધીજીએ ભારતને સ્વતંત્રતા અપાવવા માટે અહિંસાનો માર્ગ અપનાવ્યો હતો ત્યારે તેઓ પણ પોતાની પાસે લાકડી રાખતા હતા. 
 
બ્રહ્મભટ્ટમાં આ પેપરમાં વધુ શુ લખ્યુ છે તે તમે જ વાંચી લો.