શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ભાવનગર , શનિવાર, 23 એપ્રિલ 2016 (13:08 IST)

ગઝલગાયક ગુલામઅલીએ એવોર્ડ સ્વીકાર્યો

પટિયાલા ઘરાનાના ગઝલગાયક અને પાકિસ્તાનના સુપ્રસદિ્ધ કલાકાર ગુલામઅલીના ભારત દેશમાં કાર્યક્રમો માટે થઈ રહેલા ઠેર-ઠેરના વિરોધ તેમજ હોબાળા વચ્ચે શનિવાર મહુવા મોરારિબાપુએ આયોજિત કરેલા અસ્મિતા પર્વ ખાતે હનુમંત એવોર્ડ સ્વીકારવા ઉપસ્થિત રહ્યાં ત્યારે તેણે સદ્દભાવનાની પ્રાર્થના કરી હતી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ તેઓ તા.19ના રોજ તલગાજરડા ગામે ચિત્રકૂટધામ ખાતે ગઝલગાયકીનો કાર્યક્રમ રજૂ કરવાના હતા, પરંતુ અગાઉ મહારાષ્ટ્ર, બંગાળની જેમ વિવાદ વચ્ચે તે પ્રોગ્રામ પણ છેલ્લી ઘડીએ રદ કરવામાં આવ્યો હતો અને અસ્મિતાપર્વ પુરૂ થઈ ગયા બાદ આજે સન્માન સ્વીકારવા અચાનક આગમન કરીને સૌને ચોંકાવી દીધા હતા.