શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદઃ , સોમવાર, 13 જૂન 2016 (16:40 IST)

પાટીદારોને પટાવવા એનસીપી પાટીદારોના સંર્પકમાં

NCPના નેતા અને પૂર્વ કેન્દ્રીય નેતા પ્રફુલ્લ પટેલ પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના નેતા દિનેશ બાંભણીયાના ઘરે મળવા પહોંચતા રાજકારણ ગરમાયું હતું. પ્રફુલ્લ પટેલ સાથે ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ એનસીપી પ્રમુખ જયંત બોસ્કી પણ દિનેશ બાંભણીયાને મળવા પહોંચ્યા હતા.

દિનેશ બાંભણીયાના ઘરે અખિલેશ કટિયાર સહિતના પાટીદાર નેતાઓ અને એનસીપીના નેતાની પાટીદાર અનામત આંદોલનને લઈને બેઠક મળી હતી. આ બેઠકને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. બેઠક પછી પ્રફુલ્લ પટેલે પત્રકારો સાથે વાત કરી હતી અને હાર્દિક પટેલ સામે લાગેલા રાજદ્રોહના કેસને અયોગ્ય ગણાવ્યો હતો. તેમજ તેની જામીન અરજી પર પણ પ્રતિક્રિયા આપી હતી.