શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 23 મે 2016 (15:42 IST)

વડોદરામાં 200 મકાનો તુટશે

વડોદરાઃ આજે વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલી શિવજીપુરી વસાહતના 200 મકાનો દૂર કરવાની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. ત્યારે અગાઉ દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન લોકોના રોષનો ભોગ બની ચૂકેલી વડોદરા કોર્પોરેશન આ વખતે પહેલેથી જ સાવચેત છે અને કોઈ ઘર્ષણ થાય, તો તેને પહોંચી વળવા માટે પહેલેથી જ પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.

જોકે, જોકે શિવજીપુરી વસાહત ના લોકો ને નોટિસ પાઠવી દેવામાં આવી હોય લોકો પોતે જ ઘર ખાલી કરી રહ્યા છે. છતાં પણ જો કોર્પોરેશનની દબાણ શાખા સાથે ઘર્ષણ થાય તો પોલીસ કાર્યવાહી કરવા પહેલેથી જ તૈનાત કરી દેવામાં આવી છે