ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : શુક્રવાર, 19 જાન્યુઆરી 2018 (17:46 IST)

ઘરેલુ ઉપચાર - કબજીયાતમાં રામબાણ ઔષધિ છે મેથીદાણા

મેથીદાણા ખાવામાં સ્વાદિષ્ટ હોવા સાથે તમારી હેલ્થ માટે ફાયદાકારક હોય છે. તેનાથી કબજિયાતની ફરિયાદ દૂર થાય છે. આવો જાણીએ તેના ફાયદા વિશે.. 
 

કબજીયાતમા ફાયદાકારી - મેથીદાણાના શાકમાં આદુ અને ગરમ મસાલાનો પ્રયોગ કરી ખાવાથી લો બીપી અને કબજીયાતમાં ફાયદો થાય છે 
 
પોષક તત્વ - મેથીદાણામાં ફોસ્ફેટ, લેસિથિન અને ન્યુક્લિઓ અલબ્યુનિન જેવા પોષક તત્વો હોય છે જે આને ઉપયોગી બનાવે છે. 
 
પાચનક્રિયા સારી રાખે છે - તેમા રહેલ પાચક ઈંજાઈમ પૈક્રિયાજને વધુ ક્રિયાશીલ બનાવે છે. તેનાથી પાચન ક્રિયા સરળ બને છે 
 
ડાયાબીટીશમાં રાહત - રોજ એક ચમચી મેથીદાણા પાવડર પાણી સાથે ફાંકવાથી ડાયાબીટીશમાં રાહત મળે છે. લીલી મેથી રક્તમાં શુગરને ઘટાડી દે છે. તેથી ડાયાબીટીશના રોગીઓ માટે આ ફાયદાકારી હોય છે.  રોજ રાત્રે દોઢથી બે તોલા મેથી દાણા રાત્રે પલાળી રાખી સવારે ખૂબ મસળી આ પાણી ગાળીને પીવાથી ડાયાબીટીશમાં રાહત મળે છે. 
 
સાંધાના દુ:ખાવામાં ઉપયોગી - સવાર સાંજ 1-3 ગ્રામ મેથીદાણા પાણીમા પલાળીને ખાવાથી સાંધામાં દુખાવો થતો નથી.