શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: ગુરુવાર, 12 ઑક્ટોબર 2017 (12:13 IST)

Jio લાવ્યું દિવાળીનો ધન ધના ઑફર 399ના રિચાર્જ પર 400 કેશબેક

રિલાયંસ જિઓએ એક બીજુ નવું ધનધનાધન ઑફરની જાહેરાત કરી છે. 
આ દિવાળી ધનધનાધન ઑફર મારફતે ગ્રાહકોને 399ના રિચાર્જ પર 100 ટકા કેશબેક આપી રહ્યા છે. આમ તો આ કેશબેક વાઉચર પર મળશે. જેમાં યૂજર્સ તેમના નંબર પર રિચાર્જ કરાવી શકે છે જિયોના આ ઑફરની શરૂઆત આજે એટલે કે 12 ઓક્ટોબરથી થઈ ગઈ છે અને 18 ઑકટોબર સુધી મળશે. દિવાળીનો 
 
ધન ધના ઑફરમાં પણ પહેલાની રીતે 48 દિવસો માટે 84 જીબી ડાટા, ફ્રી મેસેજ, જિયો એપનો સબ્સક્રિપશન અને ફ્રી અનલિમિટેડ કૉલિંગ મળશે. આ પ્લાન અને પોસ્ટપેડ બન્ને યૂજર્સ માટે છે. 
 
આ ઑફરથી 12 ઓકટોબર થી 18 ઑકટોબરના વચ્ચે જિયો પ્રાઈમ ગ્રાહકોને 399 રૂપિયાના રિચાર્જ પેક પર 50 રૂપિયાના 8 એટલે કે કુળ 400 રૂપિયાના વાઉચર મળશે. આ વાઉચરને આવતા સમયમાં 309 રૂપિયા કે તેનાથી વધારેના રિચાર્જ કે 91 રૂપિયા કે તેનાથી વધારે ડાટાવાળા રિચાર્જમાં યૂજ કરી શકશે. 
 
ગ્રાહકોને આ વાઉચરનો ઉપયોગ 15 નવંબર પછી કરવું પડશે. જો તમે 309 રૂપિયાના રિચાર્જ કર્યા તો તમને 25 રૂપિયા જ આપવા પડશે બાકીના 50નો એક વાઉચર ઉપયોગ કરી શકશો.