બુધવાર, 24 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2014
Written By
Last Modified: બુધવાર, 15 ઑક્ટોબર 2014 (12:58 IST)

ગુરૂ પુષ્ય નક્ષત્ર - શુભ ખરીદીનુ શુભ મુહુર્ત

પુષ્ય નક્ષત્ર વિશેષ સિદ્ધિ આપનારુ નક્ષત્ર માનવામાં આવે છે. તેથી બધા કાર્ય માટે શુભ લાભ અને સિદ્ધિ આપે છે. ગુરૂ સુવર્ણનો સ્વામી છે. તેથી ગુરૂ-પુષ્યમાં સોનુ ખરીદવુ પણ મંગળકારી હોય છે. 
 
ખરીદી માટે શુભ મુહુર્ત જાણો 
 
ગુરૂવાર - 16 ઓક્ટોબર 
 
* સવારે  10.46 થી 11.55 સુધી ચર રહેશે 
* 11.55 થી 1.25 સુધી લાભ રહેશે. 
* 1.25થી 2.55 સુધી અમૃતનું ચોઘડિયુ રહેશે 
* સાંજે 4.20થી 5.50 સુધી શુભ રહેશે. 
* 5.50થી 7.15 સુધી અમૃત  
* રાત્રે 7.15થી 8.55 સુધી ચર રહેશે 
 
17 ઓક્ટોબર શુક્રવાર 
 
* વહેલી સવારે 2.55 થી 4.25 સુધી શુભ, 4.55થી સૂર્યોદય સુધી અમૃત રહેશે. 
* સૂર્યોદયથી 7.20 સુધી ચર પછી લાભ 7.20 થી 8.55 સુધી રહેશે. 
* અમૃત 8.55થી 10.55 સુધી રહેશે. 
* આ દિવસે શુભ 11.55થી 1.25 સુધી રહેશે. 
 
ઉપરોક્ત સમય પુષ્ય નક્ષત્રના શરૂઆતથી અંત સુધી આપવામાં આવ્યો છે. જેથી વેપારી ભાઈઓ પોતાની સુવિદ્યા મુજબ વહીખાતા લાવી શકે. આ સાથે જ ગુરૂ-પુષ્ય નક્ષત્રમાં સોનું, ચાંદી, પીતળ, તાંબુ વગેરે ઘાતુની ખરીદી સર્વશ્રેષ્ઠ રહે છે. 
 
ચોપડા, શાહી પેન, રત્ન ખાસ કરીને પુખરાજ અને ઈલેક્ટ્રોનિક્સ ઉપ્તાદ ખરીદવુ શુભ ફળદાયી રહે છે. આ મુહુર્ત નવીન ઉદ્યોગ, દુકાન અને ગૃહ પ્રવેશ માટે મંગળકારી હોય છે.