શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 1 મે 2017 (11:32 IST)

દિલ્હી BJP અધ્યક્ષ મનોજ તિવારીના ઘરે હુમલો

દિલ્હી બીજેપીના અધ્યક્ષ અને સાંસદ મનોજ તિવારીના દિલ્હી સ્થિત સરકારી રહેઠાણ પર રવિવારે રાત્રે હુમલો થયો છે. એવુ કહેવાય રહ્યુ છે આ બધુ એક રોડ રેજ પછી થયો. મનોજ તિવારીએ ટ્વીટ કરી કહ્યુ છે કે લગભગ 10 લોકોએ તેમના ઘરે હુમલો કર્યો. તેમનુ ઘર 159 નોર્થ એવેન્યૂ છે. જો કે હુમલા સમયે મનોજ તિવારી ઘરે હાજર નહોતા.  ન્યૂઝ એજંસી એએનઆઈથી વાતચીતમાં મનોજ તિવારીએ આશંકા બતાવી છે કે આ હુમલામાં પોલીસ પણ સામેલ થઈ શકે છે. હુમલાવરોની તસ્વીર સીસીટીવીમાં કેદ થઈ છે. 
 
પોલીસનુ કહેવુ છે કે મનોજ તિવારીના ઘરની પાસે એક વળાંક પર મનોજ તિવારીના સ્ટાફની સ્કોર્પિયો કાર અને એક વેગનઆર કારમાં મામૂલી ટક્કર થઈ ગઈ. આ વાત પર બંને પક્ષો વચ્ચે બોલચાલ થઈ ગઈ. 
 
ત્યારબાદ મનોજ તિવારીનો સ્ટાફ ઘરે આવી ગયો પણ વેગનઆર કાર સવાર લોકો જે મનોજ તિવારીના ઘર પાસે જ રહેતા હતા એ લોકોએ અન્ય લોકોને ફોન કરીને બોલાવી લીધા અને મનોજ તિવારીના ઘ્રમાં હુમલો કરી સ્ટાફ સાથે મારામારી કરી. વેગનઆરના કાચ પણ તૂટેલા જોવા મળ્યા. મનોજ તિવારીએ સ્ટાફમાં કેટલાક લોકોને વાગ્યુ પણ છે. 
 
 
ભાજપા સાંસદ મનોજ તિવારીએ ટ્વિટ દ્વારા લૂંટની જાણકારી આપી છે. સાંસદના જણાવ્યા મુજબ, 10 લોકોએ તેમના ઘર પર હુમલો કર્યો હતો. તેમનું ઘર 159 નોર્થ એવન્યુ છે. હુમલાના સમયે મનોજ તિવારી ઘર પર હાજર ન હતા.
 
પોલીસનં કહેવું છે કે, મનોજ તિવારીના ઘર પાસે એક વળાંક પર મનોજ તિવારીના સ્ટાફની સ્કોર્પિયો કાર અને એક વેગનઆર કારને આ હુમલામાં મામૂલી ટક્કર થઈ ગઈ. આ વાત પર બે પક્ષોમાં બોલાચાલી થઈ હતી. તેના બાદ મનોજ તિવારીનો સ્ટાફ ઘર પર આવી ગયો હતો, પરંતુ વેગનઆર કારમાં સવાર લોકો મનોજ તિવારીના ઘર પાસે જ રહે છે, તેમના લોકોએ કેટલાક લોકોને ફોન પર બોલાવી લીધા અને મનોજ તિવારીના ઘરમાં હુમલો કરી સ્ટાફની મારપીટ કરી હતી. વેગનઆરના કાચ પણ તૂટ્યા હતા. મનોજ તિવારીના સ્ટાફમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. ત્યાં પોલીસના જણાવ્યા મુજબ તમામ લોકોની ઓળખ થઈ ગઈ છે. જેમાં 4 લોકો ધરપકડ કરી લીધા છે. બાકીની તપાસ થઈ રહી છે.