ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 12 એપ્રિલ 2018 (13:23 IST)

ગુજરાત સરકારે મેલેરિયાની આ બે દવા પર ફરમાવ્યો પ્રતિબંધ

મેલેરિયા દવા
ગુજરાત સરકારે મેલેરીયાના દર્દીની સારવારમાં ઉપયોગમાં લેવાતી બે દવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. સરકારે  આર્ટીમિથર અને લ્યુમેટેન્ટ્રીન નામની બે દવાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ અંગે સરકારે તેના હેલ્થ વિભાગ હેઠળ કામ કરતા તમામ તબીબી અધિકારીઓને એક પરીપત્ર જાહેર કરીને આ અંગે જાણ કરી છે. જો કે આ બન્ને દવાઓના ઉપયોગથી આડસર થતી હોવાના અહેવાલ બાદ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તે પણ જણાવવામાં આવ્યુ છે કે ડોકટરો દ્વારા મેલેરીયા અને  ઈન્ફેકશનની સારવાર માટે  દર્દીઓને આર્ટીમિથર અને લ્યુમેટેન્ટ્રીન દવા ન લખી આપવી જોઈએ.

તેમજ સરકારે રાષ્ટ્રીય વેક્ટર બર્ન ડીસીઝ કન્ટ્રોલ પ્રોગ્રામ, નવી દિલ્હી પાસેથી પ્રાપ્ત પત્ર અને ઈમેલનો ઉલ્લેખ કરતા જણાવ્યુ છે કે આ બન્ને દવાઓની આડ અસર થતી હોવાથી તેનો ઉપયોગ ન કરવો જોઈએ. જે દર્દીઓની સારવાર માટે આ બન્ને દવાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેમની યાદી અને મેડિકલ રેકોર્ડસ મોકલવા માટે મેડિકલ ઓફિસરોને  સુચના આપવામાં આવી છે. તેમજ દર્દીઓને આ દવાથી જે આડસર થઈ હોય તેનુ મોનીટરીંગ કરવા માટે જણાવવામાં આવ્યુ છે. આ તમામ રીપોર્ટે તૈયાર કરીને મેડિકલ ઓફિસરોએ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગને મોકલવો પડશે. આ દવા ખાવાથી દર્દીને સ્નાયુઓનો દુખાવો થવો, તાવ આવવો, ભૂખ ન લાગવી, માથામાં દુખાવો થવો સહિતની આડસરો થાય છે.