ગુજરાતમાં શિક્ષણ વિભાગના નિર્ણયોને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ પર વિપરીત અસર પડી રહી છે. કોલેજોની પરીક્ષામાં તો શિક્ષણ વિભાગે ફેરવી ટોળ્યું હતું અને પરીક્ષા રદ્દ કરી હવે શાળા માટેની પરીક્ષાઓ જાહેર કરી છે. તે પણ કેવી કે વિદ્યાર્થીઓને ઘરે ઘરે પ્રશ્નપત્ર પહોંચાડશે અને પોતાના બાળકની પરીક્ષા વાલીઓ લેશે અને શિક્ષકો આ ઉત્તરવહી ચકાસી માર્ક આપશે.