1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Modified: બુધવાર, 5 જુલાઈ 2023 (15:31 IST)

Shivling In House: ઘરમાં શિવલિંગ હોય તો જરૂર જાણી લો આ વાત નહી તો જીવન ભર ઉઠાવવુ પડશે નુકશાન

should we keep shivling in house
Rules for keeping Shivling at home: વધારેપણુ ઘરમાં પૂજા ઘર હોય છે અહીં લોકો દેવી- દેવતાઓની પૂજા કરે છે. તેનાથી સકારાત્મકતા આવે છે સાથે જ દરેક દેવી દેવતાની પૂજા પાઠના જુદા-જુદા નિયમ હોય છે. આ નિયમોનો પાલન કરવુ જરૂરી હોય છે. નહી તો જીવનમાં ઘણી બધી પરેશાનીઓ આવી જાય છે. આ રીતે ઘરમાં શિવલિંગ રાખવા અને તેમની પૂજા કરવાના પણ નિયમ હોય છે. આ નિયમોના વિશે જાણી લો અને તેમનો પાલન કરવું. નહી તો ભોલેનાથનો ગુસ્સાનો સામનો કરવુ પડી શકે છે. 
 
જે જગ્યા પર શિવલિંગ રાખેલુ હોય તે જગ્યાને હમેશા સાફ રાખવી જરૂરી છે ક્યારે પણ પૂજા સ્થાનની આસપાસ ગંદગી ન રહેવા દો. 
 
ઘરમા રાખતા શિવલિંગનો આકાર ક્યારે પણ હાથના અંગૂઠાથી મોટુ નહી હોવુ જોઈએ. ઘર માટે અંગૂઠા જેટલુ મોટુ શિવલિંગ જ પૂરતો છે. 
 
ઘરમાં રાખેલા શિવલિંગ પર ક્યારે પણ હળદર કે સિંદૂર ન ચઢાવવુ. શિવજીને હમેશા ચંદન જ ચઢાવવુ જોઈએ. હકીકતમાં સિદૂર સુહાગનો પ્રતીક હોય છે અને શિવજીને વિનાશના દેવતા તેથી તેણે સિંદૂર ચઢાવવુ જીવનમાં સંકટને આમંત્રણ આપે છે. 
 
શિવલિંગ સોના, ચાંદી, સ્ફટિક કે પીતલનો હોનો જોઈએ. કાંચ વગેરેનો શિવલિંગ કયારે પણ સ્થાપિત ન કરવું. 
 
શિવલિંગની પૂજા દરમિયાન ક્યારે પણ તુલનીના પાન અર્પિત ન કરવુ. શિવજીને બેલ, ધતૂરો વગેરે જ અર્પિત કરાય છે. ચંપાના ફૂલ પણ ન ચઢાવવું. 

Edited By Monica Sahu