શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated :મુંબઈ. , મંગળવાર, 13 ફેબ્રુઆરી 2018 (14:34 IST)

3 વર્ષ પછી ટીવી પર પરત આવી રહી છે 'જોધા', જોવા મળશે આ શો માં

પૉપુલર ટીવી શો જોધા-અકબરમાં જોધાનુ પાત્ર ભજવનારી એક્ટ્રેસ પરિધિ શર્મા લાબા સમયથી ટીવી પરથી બ્રેક લીધો હતો. પણ હવે પરિધિ ટૂંક સમયમાં જ ટીવી પર કમબેક કરવા જઈ રહી છે. તેના ફેંસ માટે સારા સમાચાર છે. જી હા રિપોર્ટ્સ મુજબ પરિધિ ટૂંક સમયમાં જ માતા વેષ્ણોદેવી પર બની રહેલી ધાર્મિક ટીવી  શો માં જોવા મળશે.  આ શો ટૂંક સમયમાં જ સ્ટાર ભારત પર ઓનએયર થશે. 

 
રિપોર્ટ્સ મુજબ લગભગ 50 એપિસોડ્સની આ સીરિયલને અરવિંદ બબ્બલ પ્રોડ્યૂસ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે પરિધિ હંમેશા પોતાની પ્રાઈવેટ લાઈફને મેંટેન કરીને ચાલે છે. જો કે તેના ફેંસ હંમેશા તેમના વિશે જાણવા ઉત્સુક રહે છે.