રવિવાર, 28 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 27 ઑક્ટોબર 2023 (18:37 IST)

Taarak Mehta Ka Ooltah Chashmah - તારક મહેતાના જેઠાલાલે આદિવાસી સમાજની માફી માંગવી પડી, એક ડાયલોગથી ખળભળાટ મચી ગયો

jethalal
Taarak Mehta Ka Ooltah Chashmah - તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ ફેમિલી કોમેડી ડ્રામા અત્યંત લોકપ્રિય ટીવી સિરિયલ છે. આ સિવાય આ શો સતત વિવાદોમાં ફસાઈ રહ્યો છે. ઘણી વખત શોના સ્ટાર્સ દ્વારા કરવામાં આવેલી કોઈ ટિપ્પણી અથવા આવા કોઈ દ્રશ્યને કારણે વિવાદો સર્જાય છે. આવા જ એક વિવાદને કારણે શોના પ્રખ્યાત સ્ટાર જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીએ પણ વિવાદાસ્પદ ટિપ્પણી બદલ માફી માંગવી પડી હતી.
 
જેઠાલાલે કહ્યું કે અમે ફરી આવી ભૂલ નહીં કરીએ
 
આ શો ના એક એપિસોડમાં જેઠાલાલે આદિવાસી સમાજ પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. જેનાથી આદિવાસી સમાજ આક્રોશિત થઈ ગયો. ટિપ્પણીને કારણે આદિવાસી સમાજે જેઠાલ્લા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી. જ્યારબાદ જેઠાલાલનો માફી માંગતો વીડિયો રજુ કરવામાં આવ્યો.