ગુરુવાર, 28 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 1 નવેમ્બર 2019 (16:34 IST)

Vastu tips in gujarati- બાળકોથી દાન કરાવવાથી ઘરમાં આવે છે સમૃદ્ધિ, આ ઉપાય કરવાથી તમારા જીવનથી દુર્ભાગ્યને કરો દૂર

સખ્ત મેહનત પછી પણ સફળતા નથી મળી રહી હોય તો તેનો કારણ દુર્ભાગ્ય કે અમારી આસપાસ રહેલ નકારાત્મક ઉર્જા થઈ શકે છે. નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે બાળકોથી દાન કરાવો. તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવશે. 
 
સફળતા માટે મેહનત પણ જેટલી જરૂરી છે તેટલો જ ભાગ્યનો સાથ મળવું પણ જરૂરી છે. જો મેહનત અને ભાગ્ય એક સાથે મળી જાય તો સફળતા મળવી નક્કી છે. વાસ્તુમાં કેટલાક સરળથી ઉપાય જણાવ્યા છે. જેને અજમાવીને તમે તમારા જીવનથી દુર્ભાગ્યને દૂર કરી શકો છો. આવો જાણી છે આ ઉપાયો વિશે. 
 
સવારે ઉઠો તો સૌથી પહેલા ઈશ્વરને યાદ કરવું. હમેશા નિત હનુમાન ચાલીસાનો પાઠ કરવું. ભાગ્યનો સાથે મેળવવા માટે પરિવારની સાથે તીર્થયાત્રા પર જરૂર જવું. તેનાથી ઘર પરિવારમાં ધન સંપત્તિમાં વૃદ્ધિ હોય છે. બાળક મનથી નિર્મણ હોય છે. તેથી બાળકોથી દાન જરૂર કરાવો. આવું કરવાથી આખા પરિવારને સૌભાગ્યની પ્રાપ્તિ હોય છે. અમાવસ્યાના દિવસે કોઈ નિર્ધનને ભોજન કરાવો. પિતરોને સાચા મનથી યાદ કરવું. ગોમાતાને ધરતી પર ઈશ્વરનો વરદાન ગણાયું છે. ઘરમાં બની રહ્યા ભોજનમાંથી ગોમાતાનો ભાગ જરૂર કાઢવું. આવું કરવાથી મનોકામના પૂર્ણ હોય છે. રાત્રે સૂતા સમયે એક વાસણમાં પાણી ભરીને પથારીની પાસે રાખી દો. સવાતે ઉઠીને તે પાણી કોઈ છોડમાં ચઢાવી દો. રસોડામાં દર સાંજે દીવો પ્રગટાવો. આવું કરવાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ દૂર થઈ જાય છે. સાંજના સમયે કયારે પણ ઘરમાં ઝાડૂ-પોતું ન કરવું. આવું કરવાથી આર્થિક હાનિ થઈ શકે છે. ઘરમાં દેવી દેવતાઓને દરરોજ તાજા ફૂલોના શ્રૃંગાર કરવું. જ્યારે પણ તમે ઘરમાં પ્રવેશ કરો તો ખાલી હાથ ન જવું. હમેશા કઈક ન કઈક લઈને જ પ્રવેશ કરવું. દરરોજ સવાર સાંજે કપૂરથી આરતી કરવી આવું કરવાથી પરિવારમાં આકસ્ત્મિક દુર્ઘટનાની શકયતા ઓછી થઈ જાય છે.