1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2015
Written By
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 5 ડિસેમ્બર 2014 (12:42 IST)

વર્લ્ડકપ 2015ની ટીમમાં પસંદ નહી થયેલા ખેલાડીઓ માટે તાળીઓ વગાડવી જોઈએ

વર્લ્ડકપની 30 સંભાવિતોની લિસ્ટમાં યુવરાજ સિંહ. ગૌતમ ગંભીર. વીરેન્દ્ર સહેવાગ. હરભજન સિંહ અને ઝહીર ખાન જેવા દિગ્ગજ ખેલાડીના નામ ન હોવાથી જાણીતા કમેંટેટર હર્ષ ભોગલેએ ટ્વીટ કર્યુ છે. 
 
તેમનુ કહેવુ છે કે ક્રિકેટ ફેંસે આ પાંચ ખેલાડીઓ માટે તાળી વગાડવી જોઈએ.  ભોગલે એ કહ્યુ. 'આવામાં જ્યારે કે યુવરાજ સિંહ. ગૌતમ ગંભીર. વીરેન્દ્ર સહેવાગ. હરભજન સિંહ અને ઝહીર ખાનની પસંદગી વર્લ્ડકપના શક્યત ટીમમાં નથી થઈ. ક્રિકેટ પ્રેમીઓઈ એવુ માની લેવુ જોઈએ કે હવે આ દેશ માટે બીજીવાર ક્યારેય નહી રમે અને આવી પરિસ્થિતિમાં આ ખેલાડીઓના વખાણ થવા જોઈએ. 
 
યુવરાજ અને ગંભીરે વીતેલા વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. યુવરાજ જ્યા પ્લેયર ઓફ ધ ટુર્નામેંટ રહ્યા હતા. બીજી બાજુ ગંભીરે શ્રીલંકા વિરુદ્ધ ફાઈનલમાં શાનદાર હાફ સેંચુરી મારી હતી.