શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શનિવાર, 25 મે 2019 (16:02 IST)

શુગરને કંટ્રોલમાં રાખશે આ Herbal Tea, બીજી અનેક બીમારીઓ થશે છૂમંતર

દરેકની પોતાના દિવસની શઊઆત ચા ના કપ સાથે કરવી ગમે છે. જો કે હેલ્થ માટે લોકો આજકાલ દૂધને બદલે હર્બલ ટી લેવી શરૂ કરી દીધી છે.  કોઈ ગ્રીન ટે પીવી પસદ કરે છે તો કોઈ બ્લેક ટી. પણ આજે અમે તમને બતાવી રહ્યા છે.  હળદરથી બનનારી હર્બલ ટી વિશે.  જેના ઉપ્યોગથી ગમે નાની મોટી બીમારીઓથી લઈને કેંસર જેવી બીમારીઓથી પણ બચી શકો છો. 
 
કેવી રીતે બનાવશો હર્બલ ટી 
 
હળદરના ગુણોથી તો તમે પરિચિત છો જ. પહેલા સમયમં લોકો મોટેભાગે હળદરવાળુ દૂધ પીતા હતા.  તેથી તેમનુ શરીર રોગોનો સામનો કરવા માટે વધુ સક્ષમ હતુ.  હર્બલ ટી બનાવવા માટે તમને રિંપલ પાણીને ઉકાળી રાખવાનુ છે.  પછી પાણી ઠંડુ હોવા પર તમને 1 થી 2 ટી સ્પૂન હળદરના તેમા નાખી દેવાની છે.   જો તમે ચાહો તો સ્વાદ માટે ચપટી મીઠુ અને 1 ચમચી મઘ પણ નાખી શકો છો. આવો હવે જાણીએ નિયમિત રૂપથી હર્બલ ટી પીવાના ફાયદા. 
 
શરદીમાં બતાવે અસર - હળદર તમારા શરીરમાં એંટીવાયરલ એજંટના રૂપમાં કામ કરે છે. મોટાભાગે શરદી દરમિયાન ગળામાં ખરાશ અને નાકમાં ખેચ અનુભવાય છે.  આ દરમિયાન ગરમ પાણીમાં ચપટી હળદર અને લીંબૂના રસના થોડા ટીપા નાખીને કાઢો બનાવીને પીવાથી શરદીમાં રાહત મળે છે. શરદીને કારણે અનેક લોકોના નાક કે શરીરના અન્ય ભાગમાં સોજો પણ થઈ જાય છે.  હળદરની ચા સોજાને ઓછો કરવાનુ કામ કરે ક ક્ઝે.  
 
ઈમ્યુન સિસ્ટમને કરે સ્ટ્રોંગ - વધતા પ્રદૂષણને કારણે આપણી પાચન શક્તિ કમજોર થઈ જાય છે.  એક કપ હળદરની ચા આપણી ઈમ્યુન સિસ્ટમને સ્ટ્રોન કરી પોતાની બીમારીઓ સાથે લડવાની શક્તિ પ્રદાન કરે છે.  હળદર એક મજબૂત ઈમ્યુનોમૉડ્યૂલેટર ઈ એજંટ છે જે પ્રતિરક્ષા પ્રણાલીને ઉત્તેજીત કરે છે.  ગઠિયાથી લઈને અલ્માઈઝર સુધીની બીમારીઓમાં પણ લાભકારી છે. 
 
 
શરીરનો દુખાવો કરે દુર - શરીરમાં કોઈપણ પ્રેઅકારનો દુખાવો થતા હળદર ખૂબ સહાયક સિદ્ધ થાય છે. જૂના વડીલો પીરિય્ડ દરમિયાન છોકરીઓને હળદરવાળુ દૂધ પીવા માટે આપે છે કારણ કે તે દુખાવામાં ખૂબ જ જલ્દી આરામ આપે છે   આ ઉપરાંત શરીરના કોઈપણ ભાગમાં દુખાવો હોય તો પણ હળદરની ચા પીવાથી રાહત મળે 
 
હળદર રાખે દિલને સ્વસ્થ - હળદર તમારા દિલને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ તમને લોહીમાં રહેલા પ્લેટલેટ્સને એકત્ર થતા રોકે છે. અભ્યસમા એ પણ બતાવ્યુ છે કે હળદર એજિયોટેસિન એંજાઈમને રોકે છે. જે તમારી રક્ત વાહિકાઓને સંકીર્ણ બનાવવા માટે જવાબદાર હોય છે. તેથી દરરોજ એક કપ હળદરની ચા પીવાથી તમારુ દિલ તમને ઠેક્યૂ કહેશે. 
 
શુગરની બીમારીમાં અસરદાર - આજે ભારતમા દરેક બીજો વ્યક્તિ શુગરનો દર્દી છે.   આ બીમારી સ્ટ્રેસ લેવલને વધતા રોકે છે.  ઉંદર પર કરેલ શોધ મુક્ન આ વાત સામે આવી છે કે હળદરવાળુ પાણી પીવાથી તેમના શરીરમાં શુગરની માત્રા નેચરલ રીતે કામ કરે છે.  સાથે જ એ પણ જોવા મળ્યુ છે કે હળદરનુ પાણી પીવાથી સ્ટ્રેસ લેવલ ઓછુ કરવામાં મદદરૂપ છે. 
 
હળદરની તાસીર થોડી ગરમ હોય છે. ગરમીમાં તેનુ સેવન થોડુ સમજદારીથી કરવુ જોઈએ. જો તમે પહેલાથી જ કોઈ બીમારીથી પીડિત છો તો તમે હર્બલ ટીનુ સેવન અઠવાડિયામાં 2 થી 3 વાર કે પછી ડોકટરની સલાહ મુજબ શરૂ કરી શકો છો.