શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 10 જુલાઈ 2019 (01:06 IST)

પરવરનુ શાક રોજ ખાશો તો અનેક બીમારીઓ થશે દૂર

પરવરનુ શાક મોટાભાગના લોકોને ભાવતુ નથી હોતુ.  પણ શુ તમે જાણો છો કે આ આરોગ્ય માટે વરદાન છે. જી મિત્રો પરવરમાં રહેલા એંટીઓક્સીડેટ, કેલ્શિયમ પ્રોટીન અને વિટામીન એ, બી1, બી2 અને સી ઈમ્યુનિટી વધારવાની સાથે આરોગ્ય સાથે જોડાયેલ અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.  એટલુ જ નહી, આયુર્વેદમાં તેનો ઉપયોગ દવાઓ બનાવવા માટે પણ કરવામાં આવે છે.  ચાલો આજે અમે તમને પરવરના કેટલાક ફાયદા વિશે બતાવીએ છીએ. જેને જાણ્યા પછી તમે પણ તેને તમારા ડાયેટમાં સામેલ કરી લેશો. 
 
સૌથી પહેલો ફાયદો છે વજન ઘટાડ્વામાં મદદરૂપ 
 
જો તમે ઝડપથી વજન ઘટાડવા માંગો છો તો આ શાકને તમારા ડાયેટમાં જરૂર સામેલ કરો. લૌ કેલોરી અને હાઈ ફાઈબર હોવાને કારણે તેનુ સેવન ફેટ બર્ન કરવાની સાથે ભૂખને પણ કંટ્રોલ કરે છે. જેનાથી તમને વજન  ઘટાડવામાં મદદ મળે છે. 
 
લોહીને કરે છે સાફ - પરવલ આપણા લોહી, ઉતર્કોને સાફ કરવામા મદદ કરે છે.  જેનાથી તમે આરોગ્ય જ નહી પણ અનેક બ્યુટી પ્રોબ્લેમ્સથી પણ બચો છો.  આ ઉપરાંત તેનુ સેવન બોડીને ડિટૉક્સ કરવામાં પણ મદદ કરે છે. 
 
ફ્લુથી કરો બચાવ 
 
બદલતી ઋતુને કારણે મોટાભાગે લોકો જલ્દી શરદી તાવની ફ્લુની ચપેટમાં આવી જાય છે પણ તેનુ સેવન ઈમ્યુન સિસ્ટમને વધારે છે. જેનાથી તમે તેના ખતરાથી બચ્યા રહો છો. 
 
સારી પાચન ક્રિયા માટે 
 
ગરમીમાં કબજિયાત, ગૈસ્ટ્રિક જેવી સમસ્યાઓ સામાન્ય જોવા મળે છે. આવામાં તેનુ સેવન તમારે માટે લાભકારી હોઈ શકે છે.  કારણ કે આ પાચન ક્રિયાને મજબૂત કરે છે. 
 
 
લિવર માટે લાભકારી - અઠવાડિયિઆમાં 1 વાર આ શાકનુ સેવન લિવરને માટે ખૂબ લાભકારી હોય છે. તેનાથી ૱લિવર ડિટોક્સ થવા ઉપરાંત આ તેના કાર્યને પણ સારુ બનાવે છે. 
 
શુગર અને કોલેસ્ટ્રોલ કરો કંટ્રોલ 
 
તેનુ સેવન કરવાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.  જેનાથી કોલેસ્ટ્રોલની માત્રા વધતી નથી.  સાથે જ તેનાથી દિલના રોગનો ખતરો પણ મોટે ભાગે ઓછો થાય છે. 
 
એંટી એજિંગ સમસ્યાઓ 
 
પરવરમાં રહેલા એંટી-ઓક્સીડેંટ વધતી વયના લક્ષણોને ઓછા કરવામાં મદદરૂપ હોય છે. આ ચેહરાની કરચલીઓ અને ઝીણી રેખાઓને દૂર કરવામાં પણ મદદરૂપ છે. 
 
માથામાં ટાલ પડતા બચાવે 
 
પરવરના પાનને વાટીને સ્કૈલ્પ પર સારી રીતે લગાવો. જ્યારે આ સુકાય જાય તો પાણીથી વાળને ધોઈ લો.  અઠવાડિયામાં ઓછામાં ઓછા 2-3 વાર તેનો ઉપયોગ કરો.  તેનાથી તમારા વાળ ખરવા બંધ થવા ઉપરાંત તમે ટાલની સમસ્યાથી પણ બચશો. 
 
સ્ક્રિન પ્રોબલેમ 
 
1 ચમચી પરવરના પાનનો રસ લઈને તેને મધમાં મિક્સ કરીને ગરમ પાણી સાથે પીવો. નિયમિત રૂપે આવુ કરશો તમને ફરક આપમેળે જ દેખાય જશે. 
 
માઈગ્રેનથી છુટકારો મેળવવા માટે પરવર રામબાણ ઈલાજ છે.  આ માટે પરવરના પાનને વાટીને માથા પર લગાવો. તેનાથી મસ્તિષ્કને અંદરથી ઠંડક મળશે અન માઈગ્રેનનો દુખાવો પણ દૂર થઈ જશે.