શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 29 નવેમ્બર 2019 (18:36 IST)

તમારી દરેક બીમારીઓ દૂર કરશે આ એક જ્યુસનો પ્યાલો

વ્હીટગ્રાસ એક એવી ઔષધિ છે જે એક નહી પણ અનેક રોગ જેવા કે કેંસર શુગર ગઠિયાની સારવારમાં મદદરૂપ સિદ્ધ થય છે. જે રીતે આપણે અંકુરિત દાળ ખાઈએ છીએ એ જ રીતે ઘઉં અંકુરિત કરીને જે roots ઉગે છે તેને વ્હીટગ્રાસ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ જ્યુસ અને ડ્રાઈ પાવડર બે રીતે કરી શકાય છે.  તેને ઉગાવવામાં ન તો વધુ મહેનતની જરૂર છે કે ન તો વધુ સમયની.  ચાલો આજે જાણી વ્હીટગ્રાસ સેવન કરવાથી શરીરને મળનારા ફાયદા વિશે.. 
 
વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર..છે વ્હીટગ્રસ   
 
વ્હીટગ્રાસમાં લગભગ બધા વિટામિન્સ અને મિનરસ્લ ભરપૂર માત્રામાં જોવા મળે છે.  તેમા વિટામિન A,B,C,E અને K  ઉપરાંત અમીનો એસિડ્સ પણ જોવા મળે છે. 
 
કેંસરનો રામબાણ ઈલાજ 
 
કેંસર જેવી ઘાતક બીમારીથી બચવા માટે રોજ વ્હીટગ્રાસનુ સેવન કરો.  એટલુ જ નહી  કેંસર પેશેટ્સ પણ તેનુ સેવન કરી શકે છે. આ જ્યુસના સેવનથી કેંસર સેલ્સ ખૂબ જલ્દી મરે છે. અને  નવા સારા સેલ્સ ખૂબ જલ્દી શરીરમાં બનવા લાગે છે. 
જાડાપણું 

વ્હીટગ્રાસ જ્યુસ ખાવાને પચાવવામાં મદદ કરે છે. તમારુ ખાવુ જેટલુ જલ્દી અને સારી રીતે પચશે એટલુ જ તમારુ વજન પણ નહી વધે. 
 
એનિમિયામાં ફાયદો 
 
વ્હીટગ્રસમાં 70 ટકા ક્લોરોફિલ હોય છે જે બોડીમાં લોહીની કમીને બેલેંસમાં રાખે છે. તેનો રસ રોજ પીવાથી એનિમિયા જેવી પ્રોબ્લેમનો સામનો તમને કરવો પડતો નથી. 
 
બ્લડ પ્રેશર 

વ્હીટગ્રાસ બ્લડ આર્ટરીઝની બ્લૉકેઝને સાફ કરીને બ્લડ પ્રેશરને નોર્મલ રાખવામાં મદદ કરે છે. સાથે જ તેના સેવનથી બ્લડ સેલ્સની સંખ્યામાં વૃદ્ધિ થાય છે. 
 
કબજિયાત 

આ જ્યુસનુ સેવન કરવાથી શરીરમાં મેગ્નેશિયમની કમી પૂરી થાય છે.  જેને લીધે તમને કબજિયાત અને આંતરડાની તકલીફોમાં આરામ પહોંચાડે છે. 
 
ડૈડ્રફ 

ઘઉંમાં રહેલા  મિનરલ્સ અને ક્લોરોફિલ વાળને પણ હેલ્દી બનાવવામાં મદદ કરે છે.  તેને પીવાથી એકબાજુ વાળને અંદરુની રૂપમાં મજબૂત બને છે.  બીજી બાજુ તેના રસને જડમાં લગાવવાથી ડેંડ્રફની સમસ્યાથી રાહત મળે છે. 
 
અર્થરાઈટિસ 
 
વ્હીટગ્રાસ જ્યુસમાં આર્થરાઈટિસને  કારણે શરીરમા જ પૈદા થયેલ સોજાને ઘટાડવાની ક્ષમતા હોય છે.  સાથે જ તેના રસને આર્થરાઈટિસવાલાઅ સ્થાન પર બાંધવાથી દુખાવો અને સોજામાં ખૂબ લાભ મળે છે. 
 
દાંતોની તકલીફ 

વ્હીટગ્રાસ મોઢા સાથે જોડાયેલ પ્રોબ્લેમ્સને પણ ઠીક કરવામાં મદદ કરે છે. પાયેરિયા, દાંતોમાં દુ:ખાવો  અને મોઢામાંથી આવનારી દુર્ગંધ જેવી પ્રોબ્લેમ્સમાં વ્હીટગ્રાસનુ સેવન કરવાથી ખૂબ લાભ મળે છે.