* ચપટી મીઠું અને તેનાથી ડબલ અજમાને લઈને તેને ગરમ પાણી સાથે ફાકવાથી પેટના દુ:ખાવામાં રાહત થાય છે. * અજમો અને ખુરાસાનીને ગોળમાં ગોળી બનાવીને લેવાથી પેટમાં થતી વાયુની પીડા ઓછી થાય છે. * ઉદરશુળ થાય ત્યારે અમલતાસની મજ્જાને વાટીને બાળકોની નાભિની ચારે તરફ લેપ કરવાથી લાભ થાય છે. * પાકેલા અનાનસના 10 ગ્રામ રસમાં 125 મિલીગ્રામ શેકેલી હીંગ, સિંધવ, મીઠું અને આદુનો રસ 250 મિલી. ગ્રામ ભેળવીને સવાર સાંજ લેવાથી પેટના દુ:ખાવામાં રાહત થાય છે. |