1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: બાંકા , ગુરુવાર, 24 જૂન 2010 (17:23 IST)

ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી દિગ્વિજયસિંહનું નિધન

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને બિહારના બાંકાથી સાંસદ દિગ્વિજયસિંહનું ગુરૂવારે લંડનમાં લાંબી બીમારી બાદ નિધન થયું છે. 55 વર્ષીય દિગ્વિજયસિંહ બ્રેન હેમરેજથી પીડિત હતાં અને લંડનમાં સારવાર કરાવી રહ્યાં હતાં. તેમના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકીઓ છે.

સિંહ પાંચ વખત લોકસભા માટે ચૂંટાઈ આવ્યાં. પ્રથમ વખત 1990 માં તે રાજ્યસભા માટે ચૂંટાઈ આવ્યાં. તે 1999 થી ભારતીય શૂટિંગ સંઘના અધ્યક્ષ પણ હતાં.