1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 24 જૂન 2010 (18:19 IST)

10 માસ બાદ ભાજપમાં જસવંતનું પુનરાગમન

જિન્નાની પ્રશંસા કરવા પર ભાજપમાંથી કાઢવામાં આવેલા જસવંત સિંહ એક વાર ફરી પાર્ટીમાં શામેલ થઈ ગયાં છે. ગુરૂવારે બીજેપી કાર્યાલયમાં એક કાર્યક્રમમાં જસંવત સિંહને ઔપચારિક રીતે પર બીજેપીમાં શામેલ કરવાની જાહેરાત કરવામાં આવી.

આ કાર્યક્રમમાં બીજેપી અધ્યક્ષ નિતિન ગડકરી, લાલકૃષ્ણ અડવાણી, સુષમા સ્વરાજ સહિત બીજેપીના કેટલાયે મોટા નેતા અને કાર્યકર્તા શામેલ હતાં. જે જસવંત સિંહ ને થોડા મહીના પૂર્વે પાર્ટીમાં બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો, એ જ જસવંતસિંહનું ઢોલ-નગારા અને ફૂલ માળાઓથી સ્વાગત કરવામાં આવ્યું.

જસવંતના પાર્ટીમાં શામેલ હોવાની અટકળો ત્યારથી શરૂ થઈ ગઈ હતી જ્યારે અડવાણી તેમને ભૈરો સિંહ શેખાવતના અંતિમ સંસ્કારમાં પોતાની સાથે જયપુર લઈને આવ્યાં. બાદમાં પાર્ટી અધ્યક્ષ ગડકરીએ જસંવતના ઘર જઈને મુલાકાત કરી તો તમની વાપસી પર મહોર લગાડી દીધી.