1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: શિમલા , શુક્રવાર, 25 જૂન 2010 (12:10 IST)

હિમાચલ પ્રદેશમાં દીવાલ ધસી પડતા 8 મર્યા

હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં શુક્રવારે સવારે મૂશળધાર વરસાદ બાદ એક અસ્થાયી મકાનની દીવાલ ધસી જવાથી આઠ કારીગરોના મૃત્યુ નિપજ્યાં છે.

પોલીસ અધિકારી પદ્મ ચૌહાણે જણાવ્યું કે, મોટાભાગના મૃતક કારીગરો ઉત્તર પ્રદેશના છે. આ દુર્ઘટના એ સમયે સર્જાઈ જ્યારે કારીગરો પોતાના અસ્થાયી મકાનમાં સૂતા હતાં. સતોન ગામમાં સવારે લગભગ ત્રણ વાગ્યે આ કરુણાંતિકા સર્જાઈ.

ચૌહાણે જણાવ્યું કે, કાટમાળમાંથી મૃતદેહો કબ્જે કરવામાં આવ્યાં છે. સરકારે આ ઘટનાની ન્યાયિક તપાસ કરવા માટેના આદેશ આપ્યા છે. આ દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના નજીકના સંબંધીઓને 100,000 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.