Last Modified: રાજકોટ , બુધવાર, 23 જૂન 2010 (11:00 IST)
બાપૂની વ્યક્તિગત વસ્તુઓ ગાયબ !
ND
N.D
અહીંના કસ્તૂરબા ધામમાં એક પ્રદર્શનીમાં રાખવામાં આવેલા મહાત્મા ગાંધીના ચશ્મા, ચપ્પલ પ્લેટ અને પ્યાલી જેવી કેટલીક વ્યક્તિગત ચીજો ગૂમ થઈ ગઈ છે અને આરોપ છે કે, સ્મારકના બે ટ્રસ્ટીઓએ તેની અમેરિકામાં હરરાજી કરી દીધી છે.
સંયુક્ત ધર્માર્થ સંગઠન કમિશનરને આપવામાં આવેલા એક સૌગંધનામામાં કસ્તૂરબા ધામના સંચાલક જયસિંહ રાઠોડે આરોપ લગાવ્યો છે કે, ટ્રસ્ટી પ્રવીણ આહ્યાએ મહાત્મા ગાંધીની વ્યક્તિગત વસ્તુઓને લઈને તેની અમેરિકામાં હરરાજી કરી નાખી છે અને બીજા ટ્રસ્ટી વિભાકર વછરાજાણીએ તેમાં પ્રવીણની મદદ કરી છે.
વિભાકરે જો કે, આ આરોપથી ઈનકાર કર્યો છે પરંતુ સ્વીકાર કર્યો છે કે, ગાંધીજીની કેટલીક વ્યક્તિગત વસ્તુઓ કસ્તૂરબા ધામમાં મોજૂદ નથી. કસ્તૂરબા ધામ રાજકોટના બહારના વિસ્તાર ત્રમ્બા નજીક સ્થિત છે જ્યાં મહાત્મા ગાંધીની પત્ની કસ્તૂરબાને સ્વતંત્ર સંગ્રામ દરમિયાન નજરકેદ રાખવામાં આવ્યાં હતાં.