શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2019-20
Written By
Last Modified: શુક્રવાર, 5 જુલાઈ 2019 (13:30 IST)

ઈનકમ ટેક્સ આપનારાઓ માટે મોટુ એલાન, 5 લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહી

ઈનકમ ટ્ક્સ રિટર્ન માટે મોદી સરકારે મોટુ એલાન કર્યુ છે. નાણાકીય મંત્રી હવે અધાર કાર્ડથી પણ લોકો પોતાનો ઈનકમ ટેક્સ ભરી શકશે એટેલે કે હવે પૈન કાર્ડ હોવુ જરૂરી નથી. પૈન અને આધાઅર કાર્ડથી કામ થઈ જશે.  5 કરોડ રૂપિયાથી વધુની કર  યોગ્ય આવક પર સરચાર્જ વધ્યો. હવે આપવો પડશે 7 ટકા વધુ કર 
 
નાણાકીય મંત્રીએ કહ્યુ કે 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકવાળા લોકોને કોઈ ટેક્સ આપવાની જરૂર નથી. સ્લૈબમાં ફેરફાર નથે  રોકાણ પર વધી છૂટ. બે થી 5 કરોડની આવકવાળા લોક પર લાગશે 3 ટકાનો સરચાર્જ 
 
વધુ પસિઆ કાઢશો તો આપવો પડશે ટેકસ 
 
જો કોઈપણ વ્યક્તિ બેંકમાંથી એક વર્ષમાં એક કરોડથી વધુની રકમ કાઢે છે તો તેના પર 2% નુ TDS લગાવવામાં આવશે. 1 કરોડ રૂપિયાથી વધુ કાઢવા પર 2 લાખ રૂપિયાનો ટેક્સ કપાય જશે.