શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: રવિવાર, 17 ડિસેમ્બર 2017 (14:14 IST)

ગુજરાતના રિઝલ્ટ પર એસોચૈમની નજર.. કહ્યુ - અર્થવ્યવસ્થા પર પડશે અસર

ગુજરાત ચૂંટણી પરિણામ પર આખા દેશની નજર છે. દેશનો વેપાર જગત પણ પરિણામોની રાહ જોઈ રહ્યુ છે... વર્ષ 2018માં ગુજરાત સહિત દેશના અન્ય પ્રમુખ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણા ખતમ થયા પછી ભારતીય વેપારી જગતને રાજનીતિક વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખવુ  પડશે..  કારણ કે તેની અસર ન ફક્ત સરકારના આર્થિક નિર્ણય પર થશે. પણ આગામી બજેટ પર પણ થશે..  જે એનડીએ (રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન)નુ અંતિમ પૂર્ણ બજેટ હશે.  એસોચૈમે આંતરિક મૂલ્યાંકન પછી આ વાત કહી છે. 
 
ઉદ્યોગ મંડળે એક નિવેદનમાં કહ્યુ.. 2019ના લોકસભા ચૂંટણી પહેલા 2018માં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.  અનિવાર્ય રૂપે કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિયો પર મતદાતાઓની ભાવનાને અસર થશે. જેના પરિણામે કોઈપણ મુશ્કેલ સુધાર જેવા શ્રમ કાયદાને લચીલા બનાવવા શક્ય નહી રહે. તેથી આ મોરચા પર ભારતીય વેપારી જગતે વધુ આશાઓ ન લગાવવી જોઈએ. 
 
બીજી બાજુ વર્તમાન રાજનીતિક આર્થિક પરિવેશમાં એક મહત્વપૂર્ણ વાત એ થઈ રહી છે કે વસ્તુ અને સેવા કરને આગળ સુવ્યવસ્થિત થવાની આશા છે અને દરને વધુ તર્કસંગત બનાવીને ઓછા કરવામાં આવશે. 
 
ચૈબરે કહ્યુ, જીએસટીને કારણે વેપારીઓને ખૂબ સમસ્યા આવી છે અને ગુજરાત ચૂંટણી દરમિયાન આ રાજનીતિક દળો માટે મુખ્ય ચૂંટણી મુદ્દો રહ્યો. આ ઉપરાંત નાના અને મધ્યમ વેપારીઓને બજેટ પ્રસ્તાવમાં પ્રોત્સાહન મળવાની આશા છે. અલ્પકાલિક અવધિમાં રોજગારની તક ઉભી કરવામાં તેમની ભૂમિકાને સમજાય રહી છે. અને રોજગાર સૃજન 2019ની લોકસભા ચૂંટણીમાં એક મુદ્દો હશે. 
 
એસોચૈમે કહ્યુ.. આગળ વર્ષ 2018 અને 2019માં આપણે ગ્રામીણ પરિદ્રશ્ય પર મોટુ ધ્યાન આપવાની આશા રાખે છે.  જેમા ખેડૂતો, ગ્રામીણ અને ખેતી અવસંરચનાને સમર્થન આપવુ સામેલ છે.  આ જ રીત જે કંપનીઓ કૃષિ અર્થવ્યવસ્થા સાથે જોડાયેલ હશે. તેનો ફાયદો મળવાની આશા છે. આવનારા બજેટમાં તેની વ્યાપક આશા કરવામાં આવી રહી છે. 
 
જે કારકો પર વિશેષ રૂપે ધ્યાન આપવુ જોઈએ તેમા મોંઘવારી મુખ્ય છે જે ચૂંટણી વર્ષમાં સરકારની ટોચ પ્રાથમિકતા થવા જઈ રહી છે.